Site icon News Continuous Bureau | Mumbai

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું

મહારાષ્ટ્રના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે, અહમદનગર જિલ્લાનું નામ 'પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર નગર' રાખવાનો નિર્ણય પહેલાથી જ લેવાયો હતો

Ahmednagar અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને 'અહિલ્યાનગર' કરાયું

Ahmednagar અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને 'અહિલ્યાનગર' કરાયું

News Continuous Bureau | Mumbai

Ahmednagar મહારાષ્ટ્રના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે, અહમદનગર જિલ્લાનું નામ ‘પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર નગર’ રાખવાનો નિર્ણય પહેલાથી જ લેવાયો હતો. હવે આ નિર્ણયને આગળ વધારતા, અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર રેલવે સ્ટેશન’રાખવામાં આવ્યું છે. રાજ્યના આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા તાજેતરમાં મંજૂરી મળી છે.
આ નિર્ણય સાથે, અહમદનગર રેલવે સ્ટેશનની ઓળખ હવે છત્રપતિ સંભાજીનગરની જેમ જ એક ઐતિહાસિક વ્યક્તિત્વના નામ સાથે જોડાશે. આ માત્ર એક નામકરણ નથી, પરંતુ મરાઠા સામ્રાજ્યના ગૌરવશાળી ઇતિહાસને ફરીથી ઉજાગર કરવાનો એક પ્રયાસ છે.

Join Our WhatsApp Channel

અત્રે ઉલ્લેખનિય છે કે અહમદનગર શહેરનું નામ લગભગ 580 વર્ષ પહેલાં અહમદ નિઝામ શાહે રાખ્યું હતું. જોકે, ઘણા વર્ષોથી આ શહેરનું નામ બદલીને પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકરના નામ પર રાખવાની માંગ વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવી રહી હતી. અહિલ્યાદેવી હોળકરે આ પ્રદેશના વિકાસ અને સમાજકાર્ય માટે આપેલું યોગદાન અતુલ્ય છે. તેમણે અનેક મંદિરો, ઘાટ અને જાહેર સ્થળોનું નિર્માણ કરાવ્યું હતું. તેથી, તેમનું નામ આ શહેરને આપવું એ તેમના કાર્યોનું સન્માન છે, એવી ભાવના લોકોમાં હતી.

આ સમાચાર પણ વાંચો : Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન

હવે આ નવા નિર્ણયને કારણે સ્ટેશન પરના તમામ બોર્ડ, દિશા-સૂચક પાટિયા અને ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે પર હવે ‘અહિલ્યાનગર’ નામ જોવા મળશે. તેમજ રેલવેની IRCTC ટિકિટ સિસ્ટમમાં પણ આ નામ અપડેટ કરવામાં આવશે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શહેરમાં પરિવહન, બસ સ્ટેશન અને રસ્તાના દિશા-સૂચક પાટિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

JPSC JSSC Exam Row Jharkhand Bandh પેપર લીક અને પોલીસ દમન સામે મહાસંગ્રામ ઝારખંડ બંધના એલાનથી રાજકારણ ગરમાયું, વિદ્યાર્થીઓને ભાજપનું સમર્થન
Rahul Gandhi JMM Government ઈન્ડિયા ગઠબંધનમાં જ ખટરાગ? ઝારખંડ સરકાર સામે રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ..
Jharkhand Student Protest ભરતી કૌભાંડ સામે મોટો વિરોધ ઝારખંડ વિધાનસભા બહાર જંગ જેવું વાતાવરણ, સુરક્ષા ચક્ર તોડી આગળ વધ્યા પ્રદર્શનકારીઓ..
Baramati Airport Plane Crash ૮ મહિનામાં ૩ ક્રેશ! અજીત પવારના નિધન બાદ પણ બારામતી એરપોર્ટની સુરક્ષા ન સુધરી, DGCA અને પ્રશાસન સામે ગંભીર સવાલો
Exit mobile version