Site icon News Continuous Bureau | Mumbai

Ahmednagar renamed : મહારાષ્ટ્ર સરકારે અહમદનગર જિલ્લાનું નામ બદલવાના પ્રસ્તાવને આપી મંજૂરી, હવે આ નવું નામ રાખવામાં આવશે..

Ahmednagar renamed : રાજ્ય કેબિનેટની બેઠકમાં અહેમદનગર જિલ્લાનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરનું નામ બદલીને હવે પુણ્યશ્લોક અહિલ્યા દેવી નગર રાખવામાં આવ્યું છે. થોડા મહિના પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શહેરનું નામ બદલવાની જાહેરાત કરી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં અહમદનગર શહેર તેમજ જિલ્લાનું નામ અહિલ્યાનગર રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

Ahmednagar renamed Ahmednagar to be renamed 'Ahilyanagar', Maharashtra approves proposal

Ahmednagar renamed Ahmednagar to be renamed 'Ahilyanagar', Maharashtra approves proposal

  News Continuous Bureau | Mumbai

Ahmednagar renamed : આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષે રાજ્યભરના ગામડાઓ અને શહેરોના નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પૃષ્ઠભૂમિમાં, અહેમદનગર ( Ahmednagar ) શહેર અને જિલ્લાનું નામ બદલીને ‘અહિલ્યાનગર‘ ( Ahilyanagar )  કરવાની દરખાસ્તને આજે રાજ્ય કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

નામ બદલવાની પ્રક્રિયા રાજ્યના આ વિભાગ દ્વારા કરવામાં આવશે

મહત્વનું છે કે અહેમદનગર શહેરનું નામ બદલવાની માંગ છેલ્લા ઘણા દિવસોથી વિવિધ લોકપ્રતિનિધિઓ અને નાગરિક સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. અહમદનગર મ્યુનિસિપલ કોર્પોરેશને નામ બદલવા અંગેનો ઠરાવ પસાર કરીને રાજ્ય સરકારને મોકલ્યો હતો. આ સંદર્ભે, રાજ્ય સરકારે ડિવિઝનલ કમિશનર, નાસિક પાસેથી માહિતી માંગી હતી. તદનુસાર, રાજ્ય સરકાર દ્વારા તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સુધારેલી માર્ગદર્શિકા અનુસાર નામ આપવાની ભલામણ કરવામાં આવી છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ અહમદનગર જિલ્લા, તાલુકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ રાખવામાં આવશે. નામ બદલવાની પ્રક્રિયા રાજ્યના મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Stock Market Crash: શેર માર્કેટ ઉંધા માથે પટકાયું, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના આટલા લાખ કરોડ ડૂબ્યા..

ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલવામાં આવ્યું

જૂન 2022 માં રાજ્યમાં સત્તા પરિવર્તન દરમિયાન, તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમની છેલ્લી કેબિનેટમાં મરાઠવાડાના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જે બાદ હવે અહમદનગર શહેરનું નામ બદલવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.

અહમદનગર જિલ્લો અહિલ્યા દેવી હોલ્કરનું જન્મસ્થળ છે

અહિલ્યા દેવી હોલ્કરનો જન્મ 31 મે, 1725ના રોજ અહમદનગર જિલ્લાના જામખેડ તાલુકાના ચૌંડી ગામમાં થયો હતો. તેમના પિતા મંકોજી શિંદે ચૌંડી ગામના પાટીલ હતા. બાજીરાવ પેશવાના સરદાર મલ્હારરાવ હોલકર માલવા પ્રાંતના જાગીરદાર હતા. પુણે જતી વખતે તેઓ ચોવીસ કલાક રોકાયા. દંતકથા મુજબ, ગામમાં મંદિરની સેવામાં આઠ વર્ષની અહિલ્યાબાઈને જોઈ હતી. બાળ અહિલ્યાની ધાર્મિકતા અને તેના ચારિત્ર્યને ઓળખીને તેઓ છોકરીને તેમના પુત્ર ખંડેરાવ (૧૭૨૩-૧૭૫૪) માટે દુલ્હન તરીકે હોલકર ક્ષેત્રમાં લઈ આવ્યા.. અહિલ્યા દેવીના પતિ ખંડેરાવ હોલકર 1754માં કુમ્હેરના યુદ્ધમાં શહીદ થયા હતા. તે પછી, અહિલ્યા દેવીએ મરાઠા સામ્રાજ્યના માલવા પ્રાંતનો વહીવટ જોવાનું શરૂ કર્યું.

તમને જણાવી દઈએ કે અહમદનગર શહેરનું હાલનું નામ તેના પ્રથમ શાસક અહમદ નિઝામ શાહ પરથી પડ્યું છે. અહમદનગર શહેરની સ્થાપના 1594માં અહમદ નિઝામ શાહે ભિંગાર ખાતે બાહમની સેના સામેની લડાઈમાં જીત્યા બાદ નજીકમાં કરવામાં આવી હતી.

Train Harassment Case ટ્રેનમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી; મુસાફરોએ ભેગા મળીને શાન ઠેકાણે લાવી દીધી!
Gold Price Analysis સોનાની કિંમતો કેમ સતત ગગડી રહી છે? ઑગસ્ટમાં હજુ સસ્તું થશે કે આવશે મોટી તેજી? જાણો
Historic Space Milestone ‘ઐતિહાસિક નવી શરૂઆત’, ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ1 ના લોન્ચિંગ પહેલાં PM મોદીએ સ્કાઈરૂટ ટીમને પાઠવી શુભેચ્છા
Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
Exit mobile version