ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર
મુંબઈના ભાજપ નેતા કિરીટ સોમૈયાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાડયો છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અજિત પવાર સાથે સંબંધિત લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તે સમયે સેંકડો કરોડ રૂપિયાનું કાળું નાણું મળ્યું હોવાની વાત બહાર આવી છે. આ સંદર્ભે કિરીટ સોમૈયાએ ઈન્કમટેક્સ વિભાગની માહિતી ને સોશિયલ મીડિયા સાઇટ ઉપર મુકતા આ આખા ગોટાળાને અજિત પવાર ગોટાળો નામ આપ્યું છે. જો કે આ સંદર્ભે અજિત પવારે હજી કોઇ જ જવાબ આપ્યો નથી.
