Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર : પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા મહારાષ્ટ્ર સરકારની ઈ-વાહનો માટે નવી પૉલિસી, નવા વાહન ખરીદનારા ગ્રાહકોને મળશે આ ફાયદો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

વધતા પ્રદૂષણને સમગ્ર વિશ્વને ખતરામાં મૂકી દીધું છે, ત્યારે મહારાષ્ટ્રમાં પ્રદૂષણ ઘટાડવા માટે મહારાષ્ટ્ર સરકારે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિક વિહિકલ પૉલિસી-2021 જાહેર કરી છે. એ મુજબ ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરનારાઓને ટૅક્સમાં રાહત આપવાથી લઈને અનેક પ્રકારનાં ઇન્સેન્ટિવ આપવામાં આવવાનાં છે તેમ જ આવતા વર્ષથી મહારાષ્ટ્રમાં હવે તમામ સરકારી વાહનો પણ ઈલેક્ટ્રિક હશે એવી જાહેરાત પણ તેમણે કરી છે.

મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિક વિહિકલ પૉલિસી-2021 ગ્રાહકો ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરે એ માટે તેમને ઇન્સેન્ટિવ આપવામાં આવશે, જેમાં ટૂ-વ્હીલર ખરીદનારાને 10,000 રૂપિયાનું, થ્રી વ્હીલર ખરીદનારે 30,000 રૂપિયા અને ફોર વ્હીલર ખરીદનારને દોઢ લાખ રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. તો ઈ-બસ માટે 20 લાખ રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે.

મુંબઈકરોને બેવડી માર! મુંબઈમાં સીએનજી અને ઘરેલૂ પાઈપલાઈન ગેસના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો ; જાણો નવી કિંમત 

એપ્રિલ 2022 સુધીમાં સરકારનાં તમામ નવાં વાહનો માલિકીનાં અથવા ભાડેથી હશે એ તમામ ઈલેક્ટ્રિક જ હશે એવી જાહેરાત પણ પર્યાવરણપ્રધાને કરી હતી. નવી પૉલિસી મુજબ તમામ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ પર સરકાર રોડ ટૅક્સમાં રાહત આપશે. એ સિવાય તમામ ઈલેક્ટ્રિક વાહનો આ પૉલિસી હેઠળ રજિસ્ટ્રેશન ચાર્જીસમાં પણ રાહત મેળવી શકશે.

આ વાહનો માટે 2025 સુધીમાં મોટા ભાગના હાઇ-વે પર ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરાશે, જેમાં નાગપુર-મુંબઈ સમુદ્રી કોરીડૉર , મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-નાશિક અને નાશિક-પુણે હાઈવેનો સમાવેશ થાય છે.

બાપરે! મુંબઈગરાના માથે પાણીકાપનું સંકટ, બે વર્ષની સરખામણીમાં તળાવોમાં આ વર્ષે સૌથી ઓછું પાણી; જાણો વિગત

Arunachal Pradesh Flash Flood અરુણાચલ પ્રદેશમાં પ્રકૃતિનો ખૌફનાક રૌદ્ર સ્વરૂપ અચાનક આવેલા પૂરમાં સેનાના જવાનો અને મજૂરો તણાયા
Tukaram Mundhe FDA Action જ્યારે FDA વડા ખુદ રેસ્ટોરાંમાં જમવા ગયા અને અસલીનકલી પનીરનો ભાંડો ફૂટ્યો! રેસ્ટોરાં સામે કડક કાર્યવાહી
Uddhav Thackeray Flag Hoisting ઉદ્ધવ ઠાકરેએ મધ્યરાત્રિએ શિવસેના ભવન પર તિરંગો ફરકાવ્યો, જણાવ્યું વિશેષ કારણ
Central Railway 15 Car Local લોકલ પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ ૧૨ ડબ્બાની ૨૨ ટ્રેનો હવે ૧૫ ડબ્બાની બનશે, જાણો સેન્ટ્રલ રેલવેનો નવો પ્લાન
Exit mobile version