Site icon News Continuous Bureau

મોટા સમાચાર : પહેલા નોરતા થી મહારાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

તા – ૨૪/૦૯/૨૦૨૧.

મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે તે મુજબ નવરાત્રિના પહેલા દિવસથી મહારાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ સંદર્ભે નિર્ણય લીધો છે અને પ્રેસ રિલીઝ ના માધ્યમથી આ વાતની જાણકારી પૂરી પાડી છે. જો કે આ સંદર્ભે ની માહિતી પૂરી પાડતા પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે દરેક ધાર્મિક સ્થળે કોરોના સંદર્ભેના પ્રોટોકોલ તેમજ સુરક્ષા માટેની જે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હોય તે તમામનું કડક રીતે પાલન કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના નો પ્રકોપ અન્ય રાજ્યોની તુલનામાં વધુ હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી ધાર્મિક સ્થળો બંધ છે. આટલું જ નહીં તમામ પ્રકારના ધાર્મિક તહેવારો પર પણ અનેક પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવ્યા હતા જેને કારણે ઉદ્ધવ સરકાર પર ઘણી ટીકા કરવામાં આવી હતી.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version