Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : પહેલા નોરતા થી મહારાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Channel

તા – ૨૪/૦૯/૨૦૨૧.

મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે તે મુજબ નવરાત્રિના પહેલા દિવસથી મહારાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ સંદર્ભે નિર્ણય લીધો છે અને પ્રેસ રિલીઝ ના માધ્યમથી આ વાતની જાણકારી પૂરી પાડી છે. જો કે આ સંદર્ભે ની માહિતી પૂરી પાડતા પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે દરેક ધાર્મિક સ્થળે કોરોના સંદર્ભેના પ્રોટોકોલ તેમજ સુરક્ષા માટેની જે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હોય તે તમામનું કડક રીતે પાલન કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના નો પ્રકોપ અન્ય રાજ્યોની તુલનામાં વધુ હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી ધાર્મિક સ્થળો બંધ છે. આટલું જ નહીં તમામ પ્રકારના ધાર્મિક તહેવારો પર પણ અનેક પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવ્યા હતા જેને કારણે ઉદ્ધવ સરકાર પર ઘણી ટીકા કરવામાં આવી હતી.

IITGN Bajaj Auto Foundation Partnership એન્જિનિયરિંગ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપવા IIT ગાંધીનગર અને બજાજ ઓટો ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી
Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
Exit mobile version