Site icon News Continuous Bureau | Mumbai

સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાના કારણે ૧૮ સિંહ ગુમ થયાના તમામ અહેવાલ ખોટા; વન વિભાગે કરી આ સ્પષ્ટતા, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

તાઉતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રનાં જંગલોમાં ૧૮ સિંહ ગુમ થયાના અહેવાલ મીડિયામાં ફરતા થયા હતા. તે બાદ વન વિભાગે આ વિશે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે ગીર અને બૃહદ્ ગીરના તમામ સિંહ સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું વાવાઝોડાને કારણે મૃત્યુ કે કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી.

આ બાબતે સ્પષ્ટતા કરતાં જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક ડી.ટી. વસાવડાએ પત્ર લખી માહિતી આપી હતી કે વન વિભાગ દ્વારા સિંહની સલામતી માટે સતત કાળજી લેવામાં આવી રહી છે અને તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સિંહની સુરક્ષા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહે પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં સિંહ વસે છે. વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયાકાંઠે વસતા અને અન્ય તમામ સિંહની સલામતી માટે પગલાં લેવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે રાજુલા વિસ્તારના સિંહ દરિયાથી દૂર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાની વાત પણ ધ્યાનમાં આવી હોવાનું તેમણે પત્રમાં લખ્યું હતું.

 

Lions Missing Surashtra

Gujarat Independence Day Celebration ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી રાજ્યભરમાં હાથ ધરાશે વ્યાપક સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન
Supriya Sule NCP Sharad Pawar Statement “અસલી રાષ્ટ્રવાદી કોની?” સુપ્રિયા સુળેએ વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ, પવાર સાહેબના વારસા પર કરી મોટી વાત
Nashik Earthquake મહારાષ્ટ્રના આ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા; લોકોમાં ફફડાટ, ઘરોમાંથી બહાર દોડી આવ્યા
Chamoli Pipalkoti Tunnel Accident ચમોલીમાં THDC ટનલમાં 22 કામદારો અંદર હતા ને અચાનક કાદવપાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો; આટલા શ્રમિકોએ ગુમાવ્યો જીવ..
Exit mobile version