Site icon News Continuous Bureau | Mumbai

વિવાદનો આવશે અંત?? મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદને લઈને પ્રથમ વખત CM શિંદે અને બસવરાજ બોમ્મઈની મીટીંગ..

અમદાવાદથી નીકળતી વખતે એરપોર્ટની લોન્જમાં બંને નેતાઓ વચ્ચે ટૂંકી વાતચીત થઈ હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. અગાઉ, ગુજરાત પહોંચતા, કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે 14 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બંને રાજ્યો સાથે બેઠક કરશે.

Amid border row, Bommai meets Maharashtra CM Shinde

વિવાદનો આવશે અંત?? મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદને લઈને પ્રથમ વખત CM શિંદે અને બસવરાજ બોમ્મઈની મીટીંગ..

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે મુલાકાત થઈ છે. વિવાદ બાદ બંને મુખ્યમંત્રીઓ પહેલીવાર મળ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ગાંધીનગર તેઓ પહોંચ્યા હતા.

એરપોર્ટ લોન્જ કરી મિટીંગ

અમદાવાદથી નીકળતી વખતે એરપોર્ટની લોન્જમાં બંને નેતાઓ વચ્ચે ટૂંકી વાતચીત થઈ હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. અગાઉ, ગુજરાત પહોંચતા, કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે 14 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બંને રાજ્યો સાથે બેઠક કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Budget 2023-24 : મોદી સરકાર તૈયાર કરી રહી છે માસ્ટર પ્લાન.. અધધ.. આટલા લાખની આવક ધરાવનારાઓએ નહીં ભરવો પડે ઇન્કમટેક્સ!

કર્ણાટક-મહારાષ્ટ્ર વિવાદ શું છે 

કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ વિવાદ 1957 માં ભાષાકીય આધાર પર રાજ્યોના પુનર્ગઠન પછી શરૂ થયો હતો. તાજેતરમાં જ બંને રાજ્યો વચ્ચે સરહદને લઈને તણાવ વધી ગયો હતો. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એકબીજાની બસોને નિશાન બનાવવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં કન્નડ અને મરાઠી સમર્થક કાર્યકરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આમાં કર્ણાટક રક્ષા વેદિકે નામનું સંગઠન અને શિવસેનાના કાર્યકરો પણ સામેલ હતા. જ્યારે વિવાદ વધ્યો ત્યારે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ વાત કરી. આ સિવાય શનિવારે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મહારાષ્ટ્ર સાથે વધતા સરહદ વિવાદ અંગે રાજ્યના વલણ અને તથ્યો વિશે જાણ કરી છે.

 ગુજરાત ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કર્ણાટકમાં

બસવરાજ બોમ્મઈએ પણ ગુજરાતમાં ભાજપની વિક્રમી જીત પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ગુજરાત ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કર્ણાટકમાં પણ થશે. ગુજરાતની જીત તમામ રાજ્ય સરકારોને સંદેશ આપે છે કે જો તમે વિકાસના કામો કરો તો સત્તા તરફી લહેર આવી શકે છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version