Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં આવેલી કુદરતી આફત અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેમના જન્મદિવસ અંગે લીધો આ મોટો નિર્ણય ; લોકોને કરી આ ખાસ અપીલ 

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત અન્ય દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 113 પર પહોંચી ગયો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મચાવેલા આ કહેરને પગલે મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આવતીકાલે એટલે કે 27મી જુલાઈએ તેમનો જન્મદિવસ ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને તેમના જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારનો કોઈ કાર્યક્રમ યોજવો ન જોઇએ. સાથે જ ઠાકરેએ લોકોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દાન આપવા વિનંતી પણ કરી છે.

તેમણે લોકોને હોર્ડિંગ્સ ન લગાવવાની અને વ્યક્તિગત રૂપે તેમને મળવા ન આવવાની અપીલ કરી છે.  

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે કોંકણ ક્ષેત્રના રત્નાગીરી જિલ્લામાં ભારે પુરથી અસરગ્રસ્ત ચીપલૂન વિસ્તારની મુલાકાત લીધી હતી.

CIDCO Land Illegal Dumping Crackdown નવી મુંબઈમાં ભૂમાફિયાઓ પર તંત્રનું મોટું એક્શન, પનવેલમાંથી પોકલેન અને ૧૭ ડમ્પર જપ્ત, એફઆઈઆર દાખલ
SRPF Jawan Dies By Suicide પંઢરપુરમાં અષાઢી એકાદશીના બંદોબસ્ત વચ્ચે મોટી દુર્ઘટના SRPFના જવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Gujarat Weather Heavy Rain Alert મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર, હવામાન વિભાગની ચેતવણી આ ત્રણ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Exit mobile version