ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર ને ૪,૩૫,૦૦૦ રેમડેસિવિર ઇન્જેક્શન નો જથ્થો પૂરો પાડ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આટલી મોટી સંખ્યામાં રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ થવાને કારણે હવે મહારાષ્ટ્રમાં આ ઈન્જેક્શન ની કોઈ કમી નથી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આવનારા દિવસમાં પણ વધુ એક જથ્થો આપવામાં આવશે.
કેન્દ્ર સરકારના આ સમયસર પગલાં બદલ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.