Site icon News Continuous Bureau | Mumbai

અમિત શાહના એક ફોનથી તમિલનાડુના રાજકારણમાં ભૂકંપ સર્જાયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફોનથી તમિલનાડુના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર અને તમિલનાડુની ડીએમકે સરકાર વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન, જ્યારથી અમિત શાહે ડીએમકે સાંસદ કનિમોઝીને ફોન કર્યાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. શાહે આ ફોન એક મહિના પહેલા કર્યો હોવાનું કહેવાય છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર અમિત શાહે એમ કનિમોઝીને ૫ જાન્યુઆરીએ ફોન કર્યો હતો. વાસ્તવમાં શાહે કનિમોઝીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા ફોન કર્યો હતો. ખાસ વાત એ છે કે તેમની પાર્ટીના નેતાઓ લાંબા સમયથી ગૃહ પ્રધાન સાથે એક બિલ પર ચર્ચા કરવા માટે મુલાકાતની રાહ જોઈ રહ્યા છે, જે રાજ્યને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ માંથી મુક્તિ આપવા સંબંધિત છે. 

દેખાડો કરવા નહીં, આ ખાસ કારણોસર પહેરતા હતા બપ્પી લાહિરી આટલુ બધું સોનું; જાણો શું છે એ રસપ્રદ કારણ 

તમિલનાડુના CM અને કનિમોઝીના સાવકા ભાઈ એમકે સ્ટાલિનના આ કોલથી ઉંઘ હરામ થઈ ગઈ છે. ડીએમકેના વરિષ્ઠ નેતાઓને લાગે છે કે મુખ્યમંત્રી આ કોલનો રાજકીય અર્થ શોધી રહ્યા છે. તે તેને ફક્ત જન્મદિવસની શુભેચ્છા તરીકે જાેઈ રહ્યા નથી. ખાસ કરીને ડીએમકે પ્રતિનિધિમંડળ સાથે NEET બિલ પર ચર્ચા કરવાનું શાહે ટાળ્યું હતું તે ધ્યાનમાં લેતા આ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તમને જણાવી દઈએ કે આ કોલ પછી ૬ જાન્યુઆરીએ સ્ટાલિને રાજ્ય વિધાનસભામાં કહ્યું હતું કે જનપ્રતિનિધિઓને મળવાનો ઇનકાર કરવો એ ગેરબંધારણીય છે. 

NEET બિલ સ્ટાલિન સરકાર અને તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ વચ્ચે વિવાદનો મુદ્દો બની ગયો છે. તમિલનાડુ વિધાનસભાએ સર્વસંમતિથી બિલ પાસ કર્યું હોવા છતાં રાજ્યપાલે તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સંમતિ માટે મોકલ્યું નથી. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે સ્ટાલિન રાષ્ટ્રીય સ્તરે વિપક્ષમાં પોતાના માટે મોટી ભૂમિકા શોધી રહ્યા છે. રવિવારે તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ તેમને ફોન કર્યો હતો. ટૂંક સમયમાં જ દિલ્હીમાં ભાજપ વિરોધી વિપક્ષી નેતાઓનું સંમેલન યોજાશે, જેમાં રાજ્યોની ‘સ્વાયત્તતામાં કાપ’ પર ચર્ચા કરવામાં આવશે. 

Manipur Violence મણિપુરમાં ભારે બબાલ 6 લોકોની ઘાતકી હત્યા, મૃતદેહ જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા
Ferry Boat Service Suspended ચોમાસામાં ખાસ ફેરીબોટ સેવા બંધ; 15 જૂનથી 31 જુલાઈ સુધી પ્રવાસ ઠપ્પ
IMD Monsoon Update Maharashtra મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગી બ્રેક સોલાપુરહર્ણેમાં પવનો થંભી જતાં ખેડૂતો ચિંતિત, વાવણી ખોરવાઈ!
Maharashtra Politics Shocker ઠાકરે જૂથમાં ફરી મોટું ગાબડું પડવાની તૈયારીમાં? ૭ સાંસદોના પક્ષપલટાની ચર્ચાથી મુંબઈ સુધી દોડધામ!
Exit mobile version