Site icon News Continuous Bureau | Mumbai

સાળંગપુર ધામ માં ‘કિંગ ઓફ સાળંગપુર’ હનુમાન દાદાની મૂર્તિનું દિવ્ય અનાવરણ, હજારો ભક્તો ઉમટ્યા.. જુઓ વિડીયો..

Unveils 54 Feet Hanuman Statue In Gujarat On Hanuman Jayanti. WATCH

સાળંગપુર ધામ માં 'કિંગ ઓફ સાળંગપુર' હનુમાન દાદાની મૂર્તિનું દિવ્ય અનાવરણ, હજારો ભક્તો ઉમટ્યા.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરમાં ભગવાન હનુમાનની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત અમિત શાહે સાળંગપુર હનુમાન મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ભોજનાલય સાત એકરમાં બનેલું છે.

Join Our WhatsApp Channel

આ પ્રતિમા અમદાવાદથી લગભગ 150 કિલોમીટર દૂર સાળંગપુર હનુમાન મંદિર પરિસરમાં બનાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કરવાથી લોકોને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે. મળતી માહિતી મુજબ પંચધાતુથી બનેલી 30 હજાર કિલો વજનની આ મૂર્તિ સાત કિમી દૂરથી જોઈ શકાય છે. આ સિવાય આ પ્રતિમાની કિંમત છ કરોડ રૂપિયા છે. કષ્ટભંજન હનુમાન મંદિરની સ્થાપના વિક્રમ સંવત 1905માં કરવામાં આવી હતી. તેનું નિર્માણ સદગુરુ ગોપાલાનંદ સ્વામીએ કરાવ્યું હતું. ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુર માં બનેલા કષ્ટભંજન હનુમાનને અહીં હનુમાન દાદાના નામથી બોલાવવામાં આવે છે.

મંદિરની ઓળખ શું છે?

એવી માન્યતા છે કે અહીં આવવાથી લોકોને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે. એવું કહેવાય છે કે ઘણા સમય પહેલા લોકો શનિદેવના પ્રકોપનો સામનો કરતા હતા, ત્યારે ભક્તો હનુમાનજીની પૂજા કરતા હતા. જે બાદ હનુમાનજીએ લોકોને શનિદેવના પ્રકોપથી મુક્ત કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો: ખેડૂતોને મળશે રાહત.. મહારાષ્ટ્ર સરકારે કમોસમી વરસાદને લઈને લીધો આ મોટો નિર્ણય..

એવું માનવામાં આવે છે કે લોકો પર શનિદેવના પ્રકોપને કારણે હનુમાનજી ગુસ્સે થઈ ગયા હતા, જેના પછી તેઓ શનિદેવ સાથે લડવા માટે નીકળી ગયા હતા, પરંતુ જ્યારે શનિદેવને આ વાતની જાણ થઈ તો તેમણે કોઈ ઉપાય વિચારવાનું શરૂ કર્યું. બજરંગબલીથી બચવા માટે શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું કારણ કે તેઓ જાણતા હતા કે હનુમાનજી બ્રહ્મચારી છે, તેથી તેઓ ક્યારેય કોઈ સ્ત્રી પર હાથ નહીં ઉપાડે. પરંતુ હનુમાનજીએ શનિદેવને ઓળખી લીધા. જે પછી શનિદેવ હનુમાનજીના પગમાં પડ્યા અને માફી માંગવા લાગ્યા, તો બજરંગબલીએ તેમને પોતાના પગ નીચે રાખ્યા. ત્યારથી શનિદેવ કષ્ટભંજન હનુમાન મંદિરમાં મહિલાના રૂપમાં બજરંગબલીના પગ નીચે બિરાજમાન છે અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરવામાં આવે છે.

ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિ પહેલા રાજ્યોને કડક નિર્દેશ આપ્યા છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હનુમાન જન્મોત્સવને લઈને રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયે તમામ રાજ્યોને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને તહેવાર શાંતિપૂર્ણ રીતે યોજાય તેની ખાતરી કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને આવી ઘટનાઓ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે, જેનાથી સામાજિક સમરસતા બગડવાનો ખતરો છે. રામ નવમીના તહેવાર પર કેટલાક રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયની આ એડવાઈઝરી આવી છે.
 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version