Site icon News Continuous Bureau | Mumbai

Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી

Raj Thackeray Son| મહારાષ્ટ્રમાં રિક્ષા ચાલકો માટે મરાઠી ભાષા અનિવાર્ય કરવાના સરકારના નિર્ણયનું સમર્થન; અમિત ઠાકરેએ આંદોલનકારીઓને આપી ચીમકી.

Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી

Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Raj Thackeray Son| મહારાષ્ટ્રમાં ઓટોરિક્ષા અને ટેક્સી ચાલકો માટે મરાઠી ભાષા શીખવી અનિવાર્ય કરવાના સરકારના નિર્ણય બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) આ નિર્ણયના સમર્થનમાં ઉતરી આવી છે. પાર્ટીના યુવા નેતા અમિત ઠાકરેએ આંદોલન કરી રહેલા બિનમરાઠી રિક્ષા ચાલકોને આકરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આ આંદોલનને કારણે કોઈ પણ મરાઠી ભાષીને તકલીફ પડશે તો મનસે કાર્યકરો રસ્તા પર આવીને તેનો જડબાતોડ જવાબ આપશે.

સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો

રિક્ષા ચાલકો માટે મરાઠી ભાષાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા અમિત ઠાકરેએ કહ્યું કે, “આ નિર્ણય અત્યંત યોગ્ય છે. રાજ ઠાકરે હંમેશા કહે છે કે જે લોકો આ રાજ્યમાં રહે છે, જેઓ અહીં ધંધો કરે છે, તેમણે અહીંની ભાષા શીખવી જ જોઈએ.” તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારનો આ નિર્ણય એક સારો અને આવકારદાયક પગલું છે અને મનસે તેનો સંપૂર્ણ સમર્થન કરે છે.

આંદોલનકારીઓને આકરો સંદેશ

સરકારના આ નિર્ણયના વિરોધમાં આગામી 4 મેથી રિક્ષા ચાલકો દ્વારા ‘કામ બંધ’ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે અમિત ઠાકરેએ કહ્યું કે, “આંદોલન કરવું તમારો અધિકાર છે, પરંતુ જો તમે મરાઠી રિક્ષા ચાલકો સાથે મારપીટ કરશો કે તેમને ડરાવશો, તો અમે તમને રસ્તા પર જ મારીશું.” તેમણે વધુમાં ઉમેર્યું કે મરાઠી રિક્ષા ચાલકોએ નિર્ણય કર્યો છે કે જો વિરોધ પ્રદર્શન થશે તો તેઓ જનતાને તકલીફ ન પડે તે માટે વધુ સમય કામ કરશે, જેના માટે તેમણે મરાઠી રિક્ષા ચાલકોની પ્રશંસા કરી હતી.

કાયદો અને વ્યવસ્થા પર શું કહ્યું?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ નિવેદનથી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે, ત્યારે અમિત ઠાકરેએ જવાબ આપ્યો કે, “આ નિર્ણય સરકારે લીધો છે, તેથી કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે. રિક્ષા ચાલકોએ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવું જોઈએ.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મુંબઈના મરાઠી રિક્ષા ચાલકો સમગ્ર શહેરમાં સેવા આપવા માટે સક્ષમ છે અને કોઈ પણ હડતાળ મુંબઈગરાઓને પરેશાન કરી શકશે નહીં.

👉 આ સમાચાર વાચો:
Donald Trump Uturn on India। ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર વિરોધાભાસી નિવેદનો જાણો કેમ ભારત માટે બદલાયા ટ્રમ્પના સુર?

IranUS Conflict| વિશ્વમાં ફરી યુદ્ધના ભણકારા! ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પને આપી ૪૮ કલાકની ડેડલાઈન, ફ્રોઝન સંપત્તિ મુદ્દે થયો મોટો વિવાદ
Donald Trump Uturn on India। ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર વિરોધાભાસી નિવેદનો જાણો કેમ ભારત માટે બદલાયા ટ્રમ્પના સુર?
Mojtaba Khamenei| મોજતબા ખામૈની ગંભીર રીતે ઘાયલ ઇરાનના રાજકીય વર્તુળોમાં ગભરાટ, હુમલામાં પગ ગુમાવ્યો હોવાના અહેવાલ
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Exit mobile version