Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના આ નેતાને પોલીસે અમરાવતીની મુલાકાતે આવતા રોકયા. જાણો કેમ?

મુંબઈ, 16 નવેમ્બર  2021 
મંગળવાર.

અમરાવતી પોલીસ કમિશનર આરતી સિંહે પત્ર લખીને ભાજપના નેતા કિરીટ સોમૈયાને અમરાવતીની 17 નવેમ્બરની પ્રસ્તાવિત મુલાકાત રદ કરવાની વિનંતી કરી છે. ત્રિપુરામાં ગયા મહિનામાં થયેલા હિંસાચારનો વિરોધ કરવા રાજયમાં અમરાવતી, નાંદેડ, માલેગાંવ તથા લાતુર વગેરેમાં મુસ્લિમ સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યા હતા. એ દરમિયાન હિંસાચાર ફાટી નીકળ્યો હતો. અમરાવતીમાં પરિસ્થિતિ તણાવ જનક થઈ જતા હાલ ત્યાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. તેમ જ અનેક પ્રકારના નિંયત્રણો લાદી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ અમરાવતીની મુલાકાતે જવાના હોવાની જાહેરાત કરી હતી. અમરાવતીમાં હાલ તણાવપૂર્ણ પરિસ્થિતિ છે ત્યારે કિરીટ સોમૈયાની મુલાકાતથી પરિસ્થિતિ હજી વણસવા ની શક્યતા અને અમરાવતી પોલીસે કાયદા સુવ્યવસ્થાનું કારણ આગળ કરીને તેમને અમરાવતીની મુલાકાત રદ કરવાનું કહ્યું છે.
 

Join Our WhatsApp Channel

ત્રિપુરાની ઘટનાના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, પુણે બાદ હવે આ જિલ્લામાં આજથી 5 દિવસનો કર્ફ્યુ લાગુ; કલેકટરે આપ્યો આદેશ

Truck Accident મહારાષ્ટ્રના નાશિકમાં મોટો અકસ્માત ટ્રક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ઓવરબ્રિજ પરથી નીચે પટકાયો વાહન, રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો વાયરલ
Thane Twin Financial Scams ઠાણેમાં કરોડોની છેતરપિંડીના બે કૌભાંડ ટ્રેડિંગના નામે ₹૧.૨ કરોડ અને સરકારી નોકરી માટે ₹૭૦ લાખ પડાવ્યા
Ghodbunder Road Accident ઘોડબંદર રોડ પર મોટી દુર્ઘટના, ૨૬ ટનનો કન્ટેનર ટ્રક મેટ્રોના ખાડામાં ખાબક્યો
Mumbra Landslide Incident મુંબ્રામાં અચાનક જમીન ધસી પડી ૯ પરિવારોનું તાત્કાલિક સ્થળાંતર, મોટો અકસ્માત ટળ્યો
Exit mobile version