Site icon News Continuous Bureau | Mumbai

ચાલો.. પ્રથમ ગ્રાસે મક્ષિકા.. નવા વર્ષનો પહેલો જ આ તહેવાર નહીં ઉજવી શકાય.. ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
30 ડિસેમ્બર 2020 

આખા વર્ષ દરમિયાન કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે 2021માં આવનાર સૌથી પહેલો તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવનું આયોજન નહિ થાય. 

Join Our WhatsApp Channel

ગુજરાતભરમાં યોજાતા તમામ પ્રકારના પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા પતંગોત્સવ રદ કરાયો હતો. હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આથી આજે રૂપાણી સરકારની કેબિટનેટ બેઠક મળી હતી. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાના સરકારી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી. સાથે જ સરકારના બજેટ અંગેના વિવિધ વિભાગની માગંણીઓ વિશે ચર્ચા થઈ હતી. 

આ વર્ષે પતંગોત્સવની ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાયદાકીય  કાર્યવાહી કરશે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. 

જોકે, ઉત્તરાયણની ઉજવણી લોકોની અગાશી પર જ થતી હોય છે. ગુજરાતમાં બે દિવસ ઉત્તરાયણ નો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ ઊંધિયું , જલેબી ને છાશનું મેનુ ફીક્સ હોય છે. પરંતુ આ વર્ષે અગાશીમાં બેસી ઊંધિયું ખાવાની મઝા નહીં માણી શકાય…

Ketan Agarwal Murder Case Siya Goyal દીકરી સામે પિતાનો જ ન્યાય! કેતનના કથિત મર્ડર કેસ પર સિયા ગોયલના પિતાનું મોટું નિવેદન આવ્યું સામે
Maharashtra Rain Alert 24 Districts મેઘરાજાની તોફાની બેટિંગ! મહારાષ્ટ્રના ૨૪ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જળબંબોળ સ્થિતિ વચ્ચે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
Khan Sir Bail પટના કોચિંગ વિવાદમાં ખાન સરને મોટી રાહત, ધરપકડ પર રોક યથાવત
Ujjain Badnagar Moharram Incident ઉજ્જૈન બડનગરમાં મોહરમ દરમિયાન જોખમી પ્રદર્શન, ચાર લોકો સામે FIR
Exit mobile version