Site icon

 જમીન સંપાદનમાં ખેડૂતને વળતર ચૂકવવામાં મોડું થતાં આ રાજ્યની  હાઈકોર્ટે પાંચ IAS અધિકારીઓને ફટકારી જેલની સજા, જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પાંચ IAS અધિકારીઓને કોર્ટના હુકમનો અનાદર કરવાના કેસમાં જેલની સજા તેમજ દંડ ફટકારતા હડકંપ મચી ગયો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ કોર્ટે નેલ્લોર જિલ્લાના કાનુપુર ગામના એક ખેડૂત દ્વારા જમીન સંપાદન બદલ સરકારને વળતર ચૂકવવા માટે ઓર્ડર કર્યો હતો. 

જોકે, તેનું પાલન ના થતાં ખેડૂત દ્વારા આ મામલે પિટિશન કરવામાં આવી. જેના પર સુનાવણી હાથ ધરતાં કોર્ટે પોતાના હુકમના અનાદરમાં પાંચ IAS અધિકારીઓને દોષિત ઠેરવીને તેમને સજા ફટકારી. 

વરિષ્ઠ IAS અધિકારી, તત્કાલીન મહેસૂલ અગ્ર સચિવ, ચાર અઠવાડિયાની જેલની સજા અને ₹ 1,000 નો દંડ, નાણાંના મુખ્ય સચિવ એસ.એસ. રાવતને એક મહિનાની જેલની સજા અને ₹ 2,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. 

નેલ્લોર જિલ્લા કલેકટર રેવુ મુતિયાલા રાજુને રૂ. 1,000 ના દંડ સાથે બે સપ્તાહની જેલની સજા ફટકારવામાં આવી છે, જ્યારે કેએનવી ચક્રધર અને એમવી શેષાગીરી બાબુ, જેઓ અગાઉ નેલ્લોર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તેમને પ્રત્યેક 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સાથે કોર્ટે એવું પણ જણાવ્યું છે કે જો આરોપીઓએ દંડ ના ભર્યો તો તેમને એક સપ્તાહ વધુ જેલમાં રહેવું પડશે. 

'પોન્નીયન સેલ્વન'ના ડિરેક્ટર મણિરત્નમ્ સામે ફરિયાદ દાખલ, શૂટિંગ દરમિયાન ઘટી આ ઘટના; જાણો વિગત

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version