Site icon News Continuous Bureau | Mumbai

અહો આશ્ચર્યમ : શું અનિલ દેશમુખ તમામ આરોપ મુક્ત? સો કરોડની વસુલે સંદર્ભે કોઇ સબૂત નથી. જાણો દિવાળી પહેલા કઈ રીતે મળી ક્લિનચિટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ શું છૂટી જશે? હાલ એવું જ લાગી રહ્યું છે. વાત એમ છે કે અનિલ દેશમુખ પર પોલીસ વિભાગને સો કરોડ રૂપિયાની વસૂલી નો ટાર્ગેટ આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ આરોપ ખુદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ દ્વારા લગાડવામાં આવ્યો હતો. હવે આ મામલે નાટ્યાત્મક વળાંક આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે બનાવવામાં આવેલા તપાસ પંચ એટલે કે ચાંદીવાલ આયોગ સમક્ષ પરમવીર સિંહ દ્વારા એક એફીડેવીટ દાખલ કરવામાં આવી છે. પોતાની એફિડેવિટમાં પરમવીર સિંહે જણાવ્યું છે કે તેમની પાસે પોતાના આરોપોને પુરવાર કરવા માટે કોઈપણ પ્રકારનો એવિડન્સ નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને દેશમુખ ની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ ચાર દિવસની ન્યાયિક કોટડીમાં છે. તેઓ પાંચ મહિના સુધી ભૂગર્ભમાં રહ્યા બાદ આશ્ચર્યજનક રીતે પ્રકટ થયા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સામે હાજર થયા હતા.

હવે આખી વાર્તામાં નાટ્યાત્મક વળાંક આવ્યા પછી એવું લાગી રહ્યું છે કે પડદા પાછળ કોઈ મોટી રમતો નથી થઈ ને?

 

Uttar Pradesh encounters ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 6 એન્કાઉન્ટર એક ગુનેગાર ઠાર, 4ને પગમાં ગોળી વાગી
TMC Rajya Sabha MP resigns મમતા બેનર્જીને દિલ્હીમાં મોટો ફટકો રાજ્યસભા સાંસદનું રાજીનામું, પક્ષને પણ અલવિદા કહ્યું
Maharashtra Politics। રાજ્યસભાની ટિકિટ કપાતાં જ છગન ભુજબળ લાલચોળ! પવાર ફેમિલીને ઘેરતા કહ્યું ‘અમે કબડ્ડી રમીએ છીએ, ચેસ નહીં’
Maharashtra Weather Alert 2026। મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાક ભારે! પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની કડક ચેતવણી
Exit mobile version