Site icon News Continuous Bureau | Mumbai

શૉકિંગ! મહારાષ્ટ્રમાં વેશ્યાવ્યવસાયમાં ધકેલવા મહિલાઓની તસ્કરી વધી, આટલી મહિલાઓને બચાવી લેવામાં આવી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

બૉલિવુડની ફિલ્મોમાં તથા વેબસિરીઝમાં કામ અપાવવાનું સપનું, સારી નોકરી અપાવવાની લાલચ બતાવી મહિલાઓને મોટા પ્રમાણમાં વેશ્યાવ્યવસાયમાં ધકેલવામાં આવી રહી છે.  નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (NCRB)ના અહેવાલમાં આ ચોંકાવાનારી વિગત બહાર આવી છે. NCRBએ જાહેર કરેલા આંકડા મુજબ ગયા વર્ષ દરમિયાન રાજ્યમાંથી 60 સગીર વયની છોકરીઓ સહિત 551 મહિલાઓનો છુટકારો કરવામાં આવ્યો હતો. આમાંથી 541 મહિલાઓને વેશ્યાવ્યવસાયમાં ધકેલવા માટે તેમને ફસાવવામાં આવી હતી.

NCRB2020માં જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં માનવ તસ્કરીના 1,651 ગુના નોંધાયા હતા, એમાં 4,709 મહિલા અને યુવતીઓને ફસાવવામાં આવી હતી. ચોંકાવનારી વિગત એ છે કે સૌથી વધુ માનવ તસ્કરીના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. રાજ્યમાં 44 સગીર વયની છોકરીઓ સહિત 550 મહિલાઓની તસ્કરી થઈ હોવાની નોંધ છે. વિવિધ કાર્યવાહી દરમિયાન 551 મહિલાઓને બચાવી લેવામાં આવી હતી. એમાં 521 ભારતીય મહિલા સહિત 4 નેપાળની અને 16 બાંગ્લાદેશી મહિલાનો સમાવેશ થાય છે. એમાંથી 541 મહિલાઓને વેશ્યાવ્યવસાયમાં ધકેલવા ફસાવવામાં આવી હતી.

વસ્તીના પ્રમાણમાં કોરોનાની રસી આપવામાં આ રાજ્ય દેશ માં અવ્વલ, અત્યાર સુધીમાં 81 ટકા કોવિડ રસીકરણ ની કામગીરી પૂર્ણ થઇ

અહીં ઉલ્લેખનીય છે કે NCRBએ જાહેર કરેલા આંકડા મુજબ 2018માં માનવ તસ્કરીના 311, 2019ની સાલમાં 282 તો 2020માં 184 કેસ નોંધાયા હતા.

NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
SIR Deadline Extended ‘SIR’ માટે 8 દિવસની વધુ મુદત રાજકીય પક્ષોની માંગ બાદ ચૂંટણી પંચની મોટી રાહત.
Exit mobile version