Site icon News Continuous Bureau | Mumbai

અશોક ગેહલોત જૂથમાં ભંગાણ, સાત સમર્થકો જેસલમેર નથી પહોંચ્યા.. હવે આગળ શું?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 ઓગસ્ટ 2020

રાજસ્થાનમાં રાજકીય કોકડું દિવસેને દિવસે ગૂંચવાતું જાય છે. કોઈ છેલ્લી ઘડીએ પક્ષપલટો ન કરે તે માટે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પોતાના ટેકેદાર મનાતા ધારાસભ્યોને જેસલમેરના એક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં ખસેડ્યા પરંતુ તેમના પ્રધાનમંડળ ના જ 11 પ્રધાનો જેસલમેર પહોંચ્યા નથી. આ બધા ગેહલોતથી નારાજ હોવાનું કહેવાય છે. 

આ અગિયાર ધારાસભ્યો ગમે ત્યારે પાઇલટ જૂથમાં સરકી જશે એવી અફવા ફેલાઈ છે. જો ખરેખર આવું બને તો વિધાનસભાની બેઠક બોલાવવાનો ગેહલોતનો દાવ ઊલટો પડશે. ગેહલોતે ત્રણ ચાર્ટર્ડ વિમાન દ્વારા 52 ધારાસભ્યોને બે જેસલમેર મોકલ્યા છે.

જે રિસોર્ટમાં ગેહલોતે પોતાના ટેકેદારોને રાખ્યા છે ત્યાં એકસો થી વધુ સશસ્ત્ર પોલીસ ગોઠવવામાં આવી છે. શીફ્ટીંગ વખતે પણ બે ટોચના પોલીસ અધિકારી અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનો હાજર હતા. બીજી બાજુ સચિન પાઇલટના ટેકેદારો સોદાબાજી ન કરી શકે એ માટે એન્ટી કરપ્શ બ્યૂરોના અધિકારીઓએ માનેસરની ITC હૉટલમાં દરોડો પાડ્યો હતો. પરંતુ, કોઈ સાબિત ન મળતાં વીલા મોઢે એસીબીના અધિકારીઓ પાછા ફર્યા હતા.  

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version