Site icon

ગોધરાકાંડ વેળા ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયા પર હુમલો કરવા આવેલો શાર્પ શુટર ઝડપાયો.. જાણો શું છે અંડરવર્લ્ડ સાથે કનેક્શન…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

19 ઓગસ્ટ 2020 

ભારતીય જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે મુંબઇથી એક શાર્પ શૂટર ગુજરાત આવ્યો હતો. એટીએસ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશનમાં તેની અટક કરી છે. આ પહેલા શાર્પ શૂટરે પહેલા પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. પરંતુ કોઇને ઇજા થઇ નથી. 'ગુજરાતમાં એક મોટા નેતા ને મારવા માટે છોટા શકીલનો માણસ મુંબઈ થી આવવાનો છે અને રીલીફ રોડની એક હોટલમાં રોકાવાનો છે.' એવી પાક્કી માહિતી અમદાવાદ એટીએસ, ગુજરાત ટેરેરિસ્ટ સ્કવોડ અને ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. માહિતી મળતા જ સંયુક્ત રીતે પોલીસની ટીમે હોટલ પર છાપો માર્યો હતો. 

બીજી બાજુ આ મુદ્દે ગોરધન ઝડફિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે "અગાઉં હું જ્યારે નવસારીના પ્રવાસે ગયો હતો ત્યારે પણ મારી રેકી કરવામાં આવી હતી. આથી જ હું એલર્ટ હતો. કારણકે મને અગાઉથી કંઈક અજુગતું બનવાના સંકેતો મળી ગયા હતા." 

ઉલ્લેખનીય છે કે ગોરધન ઝડફિયા ગોધરાકાંડ સમયે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હતા. 2002 માં ગુજરાતનાં રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય મોટા નેતાઓને પણ નિશાન બનાવવાના હતા, એમ પકડાયેલા શૂટર પાસેથી જાણવા મળ્યું છે. આ ઘટનાક્રમ પરથી સાબિત થાય છે દાઉદ ઈબ્રાહિમનો જમણો હાથ ગણાતા છોટા શકીલની ગેંગ, ગુજરાતમાં ફરી એક્ટિવ થઈ રહી છે. નોંધનીય છે કે ગોરધન ઝડફિયાને અગાઉથી ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી જ છે. પરંતુ આજની ઘટના બાદ તેમની સુરક્ષામાં વધારો કરાશે એમ હાલના ગુજરાતના ગૃહ મંત્રીએ જણાવ્યું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Pathankot Jammu train disruption: પઠાણકોટ-જમ્મુ તાવી સેક્શનમાં લેન્ડ સ્લાઈડિંગના અવરોધને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.
IPS Puran Kumar: સ્યુસાઇડ નોટમાં ધડાકો: જાણો IPS પૂરન કુમારે કયા ‘મોટા’ IPS અને IAS અધિકારીઓના નામનો કર્યો ખુલાસો?
Uddhav Thackeray: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! ઉદ્ધવ-શિંદે સંઘર્ષમાં સંભાજીનગર (Aurangabad) કેમ બન્યું નવું કેન્દ્ર?
PM Modi: ટૂંકા ગાળાના રોજગારલક્ષી અભ્યાસક્રમોથી યુવાનોને  માટે પ્રગતિની સુવર્ણ તક  – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
Exit mobile version