Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાને કારણે વેપારીઓને નુકસાન થયું, ભાજપના આ ધારાસભ્ય કોર્ટમાં જશે અને વળતર માગશે;જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 
મંગળવાર
મહાવિકાસ આઘાડી (MVA) સરકારના ત્રણે પક્ષોએ સોમવારે જાહેર કરેલા મહારાષ્ટ્ર બંધને કારણે મુંબઈ સહિત રાજ્યમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી. બંધને પગલે વેપારીઓને ભારે નુકસાન થયું હતું, ત્યારે વેપારીઓને થયેલા આ નુકસાનની ભરપાઈ આ ત્રણે પક્ષો પાસેથી કરાવવાની માગણી ભાજપના કાંદિવલીના ધારાસભ્ય અતુલ ભાતખળકરે કરી છે. આ માગણી સાથે તેઓ કોર્ટમાં જવાના છે. 
અતુલ ભાતખળકરના જણાવ્યા મુજબ સોમવારના જાહેર કરવામાં આવેલો મહારાષ્ટ્ર બંધ ગેરકાયદે હતો. કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનમાં મહિનાઓ સુધી દુકાનો બંધ રહી હતી. હવે અનલૉક  બાદ અર્થતંત્રની ગાડી ધીમે ધીમે પાટે ચઢી છે. એમાં શિવસૈનિકોએ જબરદસ્તીથી મુંબઈ સહિત રાજ્યમાં દુકાનો બંધ કરાવી હતી. આ એક દિવસના બંધને કારણે વેપાર-ધંધાને મોટુ નુકસાન થયું છે. 

ભારતના આ પાડોશી દેશના લોકો મોંઘવારીથી ત્રાહિમામ, એલપીજીની કિંમત લગભગ બમણી; એક કિલો દૂધનો ભાવ જાણીને દંગ રહી જશો

Join Our WhatsApp Channel

તહેવારોની મોસમ છે અને ખરીદદારી માંડ ઊપડી છે, ત્યારે ગેરકાયદે રીતે બંધ જાહેર કરીને વેપારીઓની સાથે રાજ્યના અર્થતંત્રને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વેપારીઓને થયેલા નુકસાનની ભરપાઈ મહાવિકાસ આઘાડીની સરકારે કરવી જોઈએ. આ માગણી તેઓ કોર્ટમાં કરવાના હોવાનું અતુલ ભાતખળકરે કહ્યું હતું.
 

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version