Site icon News Continuous Bureau | Mumbai

Aurangzeb : વોટ્સએપ પ્રોફાઈલ પર ઔરંગઝેબનો ફોટો, કોલ્હાપુર બાદ નવી મુંબઈનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ?

Aurangzeb : નવી મુંબઈમાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે જેણે ઔરંગઝેબની તસવીરનો તેના WhatsApp પ્રોફાઇલ પિક્ચર તરીકે ઉપયોગ કર્યો હતો.

Aurangzeb's photo on WhatsApp profile, trying to spoil the atmosphere of Navi Mumbai after Kolhapur?

Aurangzeb's photo on WhatsApp profile, trying to spoil the atmosphere of Navi Mumbai after Kolhapur?

News Continuous Bureau | Mumbai

Aurangzeb : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં, મુઘલ સમ્રાટો ઔરંગઝેબ અને ટીપુ સુલતાનની પ્રશંસા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ પછી તાજેતરમાં હિંસા ફાટી નીકળી હતી. આવી હિંસાથી બચવા માટે નવી મુંબઈને એલર્ટ કરવામાં આવ્યું હતું. નવી મુંબઈ પોલીસે ઔરંગઝેબની તસવીર તેના વોટ્સએપ પ્રોફાઇલ પર અપલોડ કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

Join Our WhatsApp Channel

અમરજીત સુર્વે નામના વ્યક્તિની ફરિયાદ પર નવી મુંબઈના વાશી પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. 10 જૂનના રોજ અમરજીતને એક સ્ક્રીનશૉટ મળ્યો જેમાં એક વ્યક્તિએ કથિત રીતે ઔરંગઝેબના ફોટો સાથે પ્રોફાઇલ પિક્ચર મૂક્યું હતું. તે સ્ક્રીનશોટ પર એક મોબાઈલ નંબર પણ હતો. અમરજીતે તે નંબર પર ફોન કર્યો અને આરોપીને ઔરંગઝેબનો ફોટો હટાવવા કહ્યું.

Aurangzeb : આરોપીએ તસવીર હટાવવાનું વચન આપ્યું હતું.

આરોપી મોહમ્મદ અલીએ પણ પ્રોફાઇલ પિક્ચર હટાવવાની વાત સ્વિકારી હતી. જો કે, અમરજીતે પાછળથી જોયું કે ફોટો હટાવવામાં આવ્યો નથી. આ પછી અમરજીત સુર્વેએ નવી મુંબઈના વાશી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી.

પોલીસે આરોપી મોહમ્મદ અલી મોહમ્મદ હુસૈન સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153 A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને કલમ 298 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી) હેઠળ ગુનો નોંધ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

Aurangzeb : કોલ્હાપુરમાં હિંસા થઈ હતી

7 જૂનના રોજ, મહારાષ્ટ્રના તત્કાલિન શાહી શહેર કોલ્હાપુરમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને મૈસૂરના રાજા ટીપુ સુલતાનની પ્રશંસાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેટલાક હિંદુ સંગઠનો દ્વારા પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ટોળાએ સુરક્ષા દળો પર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને કેટલાક વાહનોને ઉથલાવી દીધા. ત્યાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા.

કોલ્હાપુરમાં હિંસા માટે 36 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, હવે શહેરમાં શાંતિ છે. ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ સીસીટીવી ફૂટેજ દ્વારા જાહેર અને ખાનગી મિલકતો પર પથ્થરમારો સહિત પાંચ ડઝનથી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં સામેલ લોકોની ઓળખ કરી રહી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Malegaon News: કેરિયર ગાઈડન્સના નામે વિદ્યાર્થીઓનું ધર્માંતરણ? હિન્દુત્વવાદી સંગઠનો પર આરોપ, માલેગાંવમાં સંગઠન વિરુદ્ધ કેસ દાખલ

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version