Site icon

Bahraich News: બહરાઇચ હિંસાના આરોપીનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, નેપાળ ભાગવાની ફિરાકમાં હતા આરોપી; આટલા લોકોની ધરપકડ..

Bahraich News: ઉત્તર પ્રદેશમાં બહરાઇચ હિંસાના આરોપી સરફરાઝ અને તાલિબ ગુરુવારે પોલીસ એન્કાઉન્ટરમાં ગોળીઓથી ઘાયલ થયા હતા. તેના પર બહરાઇચમાં મા દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન થયેલી હિંસામાં રામ ગોપાલ મિશ્રાને ગોળી મારવાનો આરોપ હતો. હિંસા બાદ બંને ફરાર થઈ ગયા હતા. સરફરાઝ અને તેના સહયોગીઓ પર રામ ગોપાલ મિશ્રાની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે.

Bahraich News Two Bahraich violence accused shot by police in encounter

Bahraich News Two Bahraich violence accused shot by police in encounter

News Continuous Bureau | Mumbai

Bahraich News: ઉત્તર પ્રદેશના બહરાઈચ હિંસાના મામલામાં યુપી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અહીં મહારાજગંજમાં રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રામ ગોપાલની હત્યાના આરોપી રિંકુ ઉર્ફે સરફરાઝ અને તાલિબને પોલીસ એન્કાઉન્ટર દરમિયાન ગોળી વાગી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. દરમિયાન, એસપી વંદનાએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી છે. 

Join Our WhatsApp Community

જણાવી દઈએ કે બંને આરોપીઓ નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને રોક્યા અને આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

Bahraich News: પાંચ લોકોની ધરપકડ

બહરાઈચ પોલીસના જણાવ્યા અનુસાર, 13 ઓક્ટોબરે મહારાજગંજમાં એક યુવક (રામ ગોપાલ મિશ્રા)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બહરાઈચ પોલીસે આ કેસમાં આજે પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ મોહમ્મદ ફહીન (નામ), મોહમ્મદ તાલીમ ઉર્ફે સબલુ, મોહમ્મદ સરફરાઝ (નામ), અબ્દુલ હમીદ (નામ), મોહમ્મદ અફઝલ તરીકે કરવામાં આવી છે.

Bahraich News: રામ ગોપાલ મિશ્રાની હત્યામાં વપરાયેલ હથિયાર મળી આવ્યું

પોલીસના જણાવ્યા અનુસાર, પહેલા બેના કહેવા પર પોલીસની ટીમ હત્યામાં વપરાયેલ હથિયારને રિકવર કરવા માટે ઘટનાસ્થળે ગઈ હતી. ત્યાં આરોપીઓ દ્વારા રાખવામાં આવેલા હથિયારોથી પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જવાબી ગોળીબારમાં બંને (સરફરાઝ અને તાલિબ)ને ગોળી વાગી હતી. આરોપીઓને સારવાર આપવામાં આવી રહી છે. દરમિયાન યુવકની હત્યામાં વપરાયેલ હથિયાર મળી આવ્યું છે.

Bahraich News: પોલીસે લોકોને આ અપીલ કરી  

પોલીસ પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારની ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી ભ્રામક પોસ્ટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પ્રશાસને ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી ફેલાવતો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : આવો જુગાડ ભારે પડશે, બિહારમાં થર્મોકોલથી બનેલી બોટ પર કરી રહ્યા હતા નદી પાર, અધવચ્ચે પલટી ગઈ; જુઓ વિડીયો

મહત્વનું છે કે બહરાઈચના મહારાજગંજ શહેરમાં રવિવારે મા દુર્ગાની મૂર્તિના વિસર્જન માટે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દરમિયાન, ચોક્કસ સમુદાયના લોકોએ મોટા અવાજે ધાર્મિક ગીતો વગાડવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી બંને પક્ષો વચ્ચે શરૂ થયેલો વિવાદ હિંસક બની ગયો હતો. બંને સમુદાયોએ એકબીજા પર હુમલો કર્યો.

Bahraich News: આખું બહરાઈચ હિંસાથી હચમચી ગયું હતું.

આ સમયગાળા દરમિયાન, સાર્વજનિક સંપત્તિઓને પણ મોટા પાયે નુકસાન થયું હતું, જેના કારણે સમગ્ર બહરાઇચ હિંસાથી હચમચી ગયું હતું. એટલું જ નહીં હુમલાખોરોએ ઘણી દુકાનોને પણ આગ લગાવી દીધી હતી. આ પછી, પોલીસ એક્શનમાં આવી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બહરાઇચ હિંસામાં જીવ ગુમાવનાર રામ ગોપાલ મિશ્રાના પરિવારજનોને મળ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે આ હિંસામાં સામેલ આરોપીઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.

આ ઉપરાંત સરકાર દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરિવારજનોએ મુખ્યમંત્રીને કહ્યું કે જ્યાં સુધી રામ ગોપાલની હત્યા કરનારા લોકો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમનો ગુસ્સો શમશે નહીં.

 

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version