Site icon News Continuous Bureau | Mumbai

અધધધ….. બાંદરામાં ફ્લેટ્ પ્રતિ ચોરસ ફૂટ 1.30 લાખમાં વેચાયો. જાણો આર્થિક મંદીમાં કુલ કેટલા નગદ ચૂકવી રેકોર્ડ નોંધાવ્યો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

21 જુલાઈ 2020

લોકડાઉન ને કારણે વ્યાપેલી આર્થીક મંદીમાં મુંબઇમાં વેચાયેલા ઘરની કિંમત સાંભળી બધા ચોકી ગયા છે. બાંદ્રા વિસ્તારમાં, બિલ્ડિંગના એક જ ફ્લોર પર વેચાયેલા બે ફ્લેટ્સની સંયુક્ત કિંમત પ્રતિ ચોરસ ફૂટ રૂ. 1.30 લાખ ચૂકવાયી છે. બાંદ્રા નું પાલી હિલએ મુંબઇ પરાનું બેવરલી હિલ્સ ગણાય છે. મોટાભાગની ફિલ્મ સેલિબ્રિટીઓ આ જ વિસ્તારમાં રહે છે. આવા વિસ્તારમાં ઘર ખરીદનારે 5064 ચોરસ ફૂટના ક્ષેત્ર માટે રૂ. 66.01 કરોડ આપી માલમિલ્કત ક્ષેત્રે રેકોર્ડ નોંધાવ્યો છે. 

ચાલુ વર્ષ 2020 ની આ બીજી સૌથી મોટી રિયલ્ટી ડીલ છે. ખાસ તો આ ડીલ કોરોના જેવા કપરા કાળમાં થયી છે તેને કારણે આટલી ચર્ચા થઈ રહી છે. ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર, દેશ તાળાબંધી હેઠળ હતો ત્યારે આ સોદાને 6 એપ્રિલ અને 8 એપ્રિલના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સોદાની નોંધણી 17 જુલાઇએ 3.29 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવીને કરવામાં આવી હતી. ખરીદદારને બે ફ્લેટ દીઠ પાંચ કાર પાર્ક પણ મળ્યા છે. આ જ વિસ્તારમાં અભિનેતા રણબીર કપૂરે, 2016 માં એક ચોરસ ફૂટ દીઠ 1.42 લાખ રૂપિયા આપીને એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version