Site icon News Continuous Bureau | Mumbai

અધધધ….. બાંદરામાં ફ્લેટ્ પ્રતિ ચોરસ ફૂટ 1.30 લાખમાં વેચાયો. જાણો આર્થિક મંદીમાં કુલ કેટલા નગદ ચૂકવી રેકોર્ડ નોંધાવ્યો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

21 જુલાઈ 2020

લોકડાઉન ને કારણે વ્યાપેલી આર્થીક મંદીમાં મુંબઇમાં વેચાયેલા ઘરની કિંમત સાંભળી બધા ચોકી ગયા છે. બાંદ્રા વિસ્તારમાં, બિલ્ડિંગના એક જ ફ્લોર પર વેચાયેલા બે ફ્લેટ્સની સંયુક્ત કિંમત પ્રતિ ચોરસ ફૂટ રૂ. 1.30 લાખ ચૂકવાયી છે. બાંદ્રા નું પાલી હિલએ મુંબઇ પરાનું બેવરલી હિલ્સ ગણાય છે. મોટાભાગની ફિલ્મ સેલિબ્રિટીઓ આ જ વિસ્તારમાં રહે છે. આવા વિસ્તારમાં ઘર ખરીદનારે 5064 ચોરસ ફૂટના ક્ષેત્ર માટે રૂ. 66.01 કરોડ આપી માલમિલ્કત ક્ષેત્રે રેકોર્ડ નોંધાવ્યો છે. 

ચાલુ વર્ષ 2020 ની આ બીજી સૌથી મોટી રિયલ્ટી ડીલ છે. ખાસ તો આ ડીલ કોરોના જેવા કપરા કાળમાં થયી છે તેને કારણે આટલી ચર્ચા થઈ રહી છે. ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર, દેશ તાળાબંધી હેઠળ હતો ત્યારે આ સોદાને 6 એપ્રિલ અને 8 એપ્રિલના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સોદાની નોંધણી 17 જુલાઇએ 3.29 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવીને કરવામાં આવી હતી. ખરીદદારને બે ફ્લેટ દીઠ પાંચ કાર પાર્ક પણ મળ્યા છે. આ જ વિસ્તારમાં અભિનેતા રણબીર કપૂરે, 2016 માં એક ચોરસ ફૂટ દીઠ 1.42 લાખ રૂપિયા આપીને એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Jharkhand student protest ઝારખંડ સરકાર વિદ્યાર્થીઓના આંદોલન આગળ ઝૂકી, આંદોલન સમેટાયું પણ હજુ ઉકેલવાના બાકી છે મહત્વના સવાલો
Monsoon active again મેઘરાજા ફરી મન મૂકીને વરસશે ૨૦ થી ૨૪ ઓગસ્ટ વચ્ચે આ રાજ્યોમાં ધબધબાટી બોલાવશે…
Anant Ambani Rescues Youth ૫ વર્ષથી તળાવમાં રહેવા મજબૂર હતો યુવક, અનંત અંબાણીએ કર્યું કંઈક એવું કે સૌ કોઈ કરી રહ્યા છે વખાણ
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version