Site icon

BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો

મુંબઈમાં આજે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે લોકાર્પણ; કાર્યક્રમમાં પ્રસાદ લાડને આમંત્રણ ન મળતા સમર્થકોએ કોલાબા વિસ્તારમાં બેનર લગાવીને કર્યો વિરોધ.

BEST BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો

BEST BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો

News Continuous Bureau | Mumbai

BEST મુંબઈમાં આજે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે 157 નવી એસી ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમારોહ પહેલાં જ BEST વહીવટીતંત્ર પર વિવાદનું વાવાઝોડું ઉભું થયું છે.આ કાર્યક્રમ માટે ભાજપ (BJP)ના નેતા પ્રસાદ લાડને આમંત્રણ ન મળવાથી તેમના સમર્થકોએ કોલાબા વિસ્તારમાં બેનર લગાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. આ બેનર પરથી એવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે કે, “જેમના પ્રયત્નોને કારણે BEST ને નવો અધ્યાય મળ્યો, તેમને જ કાર્યક્રમમાં અવગણવામાં આવ્યા”. આનાથી સરકારને ઘરનો ઠપકો મળ્યો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

Join Our WhatsApp Community

મંત્રાલય નજીકથી હટાવવામાં આવ્યા બેનર

કોલાબા અને મંત્રાલય વિસ્તારમાં લગાવેલા આ બેનર BEST કર્મચારીઓ તરફથી સરકાર વિરુદ્ધ હોવાનું જણાયું હતું. મંત્રાલયની સામે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળા નજીક લગાવેલા બેનરોને પોલીસએ હટાવી દીધા છે, પરંતુ આ ઘટનાને કારણે BEST વહીવટીતંત્રનો વહીવટ ચર્ચામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ

આજે સાંજે લોકાર્પણ સમારોહ

આ દરમિયાન, આજે સાંજે 4 વાગ્યે કોલાબા BEST ભવન ખાતે 157 ઇલેક્ટ્રિક એસી બસોનો લોકાર્પણ સમારોહ યોજાશે. મુંબઈગરાઓની સેવામાં સામેલ થનારી આ નવી બસો ટ્રાફિકને નવી ગતિ આપશે, પરંતુ સમારોહ પહેલાંનો આ “બેનર વિવાદ” BEST મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો બની ગયો છે.

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Exit mobile version