Site icon

કર્ણાટકમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ના સુપુત્ર નવા મુખ્યમંત્રી બનશે. સસ્પેન્સ પૂરું થયું. જાણો વિગત

બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ ખાલી પડેલા કર્ણાટકના મુખ્યમંત્રી પદ પર હવે બસવરાજ બોમ્મઇ બેસશે. 

ગૃહ પ્રધાનની સાથે-સાથે બોમ્મઇ કર્ણાટક સરકારમાં સંસદીય કાર્ય પ્રધાન અને કાયદા પ્રધાન પણ છે. તે લિંગાયત સમુદાયનાં છે. 

Join Our WhatsApp Community

ભાજપે લિંગાયત સમુદાયમાંથી મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું અને તેમના નામ પર સર્વસંમતિ થઈ. ભાજપનાં વિધાનસભા દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગાવવામાં આવી છે. 

બોમ્મઇ યેદિયુરપ્પા સરકારમાં ગૃહ પ્રધાન હતા. યેદિયુરપ્પાનાં રાજીનામા બાદ જે નામોની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તેમાં બોમ્મઇનું નામ મોખરે હતું.

ઉલ્લેખનિય છે કે બસવરાજ બોમ્મઇના પિતા એસઆર બોમ્મઇ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે 

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version