Site icon News Continuous Bureau | Mumbai

Bengal Sadhu Mob Lynching: પ. બંગાળમાં પાલઘર જેવી ઘટના, સાધુઓને બાળકચોર સમજીને ટોળાએ ઢોર માર માર્યો, જુઓ વિડિયો

Bengal Sadhu Mob Lynching: પશ્ચિમ બંગાળમાં યુપીના ત્રણ સાધુઓ પર મારપીટનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકોએ તેમને અપહરણકર્તા સમજી લીધા, ત્યારબાદ ભીડે સાધુઓ પર હુમલો કર્યો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી, સાધુઓને ભીડથી બચાવીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ.

Bengal Sadhu Mob Lynching BJP Unleashes Fury At Mamata Banerjee Over 'Palghar-Kind Lynching' In Bengal

Bengal Sadhu Mob Lynching BJP Unleashes Fury At Mamata Banerjee Over 'Palghar-Kind Lynching' In Bengal

News Continuous Bureau | Mumbai 

Bengal Sadhu Mob Lynching: પશ્ચિમ બંગાળ ( West Bengal ) માં પાલઘર ( Palghar ) જેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ગુરુવારે સાંજે, એક વિશાળ ભીડે ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને બાળ ઉપાડનારા સમજીને નિર્દયતાથી માર માર્યો હોવાના અહેવાલ છે. આ મામલો પુરુલિયા જિલ્લાનો છે. જેનો 30 સેકન્ડનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટી ( BJP ) એ પશ્ચિમ બંગાળની મમતા સરકાર ( Mamata Banerjee )  પર પ્રહારો કર્યા છે. હાલમાં ટીએમસી ( TMC ) એ આરોપો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી. 

Join Our WhatsApp Channel

શું છે વાયરલ વીડિયોમાં?

30-સેકન્ડના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલી ભીડ ભગવા વસ્ત્રોમાં સજ્જ એક સાધુના વાળ ખેંચી રહી છે. સાધુને લાકડીઓ વડે મારવામાં આવી રહ્યો છે. સાધુ પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે દયાની ભીખ પણ માંગી રહ્યો છે. આમ છતાં ગુસ્સે ભરાયેલા ટોળાએ તેને મારવાનું ચાલુ રાખ્યું. જોકે આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.. 

એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકોએ તેમને અપહરણકર્તા સમજી લીધા, ત્યારબાદ ભીડે સાધુઓ પર હુમલો કર્યો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી, સાધુઓને ભીડથી બચાવીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ.

ઋષિ પોતાનો રસ્તો ભટકી ગયા 

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે બની હતી જ્યારે યુપીના ત્રણ સાધુ, એક વ્યક્તિ અને તેના બે પુત્રો મકરસંક્રાંતિ પર સ્નાન કરવા માટે ગંગાસાગર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ રસ્તો ભટકી ગયા હતા એટલે  તેમણે ત્રણ છોકરીઓને રસ્તા વિશે પૂછ્યું. સાધુઓને જોઈને છોકરીઓ ચીસો પાડતી ભાગી ગઈ. આ પછી સ્થાનિક લોકોએ સાધુઓને પકડીને માર મારવાનું શરૂ કર્યું. મામલો વધી જતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેય સાધુઓને કાશીપુર પોલીસ સ્ટેશન લઈ આવી.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir: અયોધ્યાનું રામ મંદિર બન્યુ દેશ વિદેશ માટે આકર્ષણનું કેન્દ્ર.. માત્ર બે વર્ષમાં ધાર્મિક સ્થળો વિશે સર્ચ કરનાર લોકોમાં થયો આટલા ટક્કાનો વધારો: અહેવાલ.

ભાજપે સાધ્યું નિશાન 

બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ ઘટનાને વર્ષ 2020માં મહારાષ્ટ્રમાં પાલઘરમાં થયેલી મોબ લિંચિંગ સાથે સરખાવતા કહ્યું, પશ્ચિમ બંગાળના પુરુલિયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  ટીએમસીના ગુંડાઓએ સાધુઓને ખરાબ રીતે માર્યા છે. પાલઘરની ઘટના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન પ્રકાશમાં આવી હતી. સાથે જ બંગાળના સીએમ પર નિશાન સાધતા તેમણે લખ્યું કે શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને મમતા બેનર્જીના શાસનમાં સુરક્ષા મળે છે. બંગાળમાં સાધુઓની ખુલ્લેઆમ હત્યા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં હિંદુ હોવું એ ગુનો છે. 

શું છે પાલઘર ઘટના 

16 એપ્રિલ, 2020 ના રોજ, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક જૂથ દ્વારા બે સાધુઓને કથિત રીતે બાળકચોર  સમજીને ઢોર માર મારવામાં આવ્યો હતો.  સાધુ અંતિમ સંસ્કાર માટે સુરત જઈ રહ્યા હતા ત્યારે પાલઘરના આદિવાસી ગામ ગઢચિંચલમાં ગ્રામજનોના એક જૂથે તેમનું વાહન રોક્યું અને તેમના પર પથ્થરો, લાકડીઓ અને કુહાડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાના સંદર્ભમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

Arunachal Pradesh Flash Flood અરુણાચલ પ્રદેશમાં પ્રકૃતિનો ખૌફનાક રૌદ્ર સ્વરૂપ અચાનક આવેલા પૂરમાં સેનાના જવાનો અને મજૂરો તણાયા
Tukaram Mundhe FDA Action જ્યારે FDA વડા ખુદ રેસ્ટોરાંમાં જમવા ગયા અને અસલીનકલી પનીરનો ભાંડો ફૂટ્યો! રેસ્ટોરાં સામે કડક કાર્યવાહી
Sonia Gandhi Vande Mataram શું સોનિયા ગાંધીએ કોંગ્રેસ ભવનમાં પૂરું ‘વંદે માતરમ્’ ગાવાની ના પાડી? જાણો સમગ્ર વિવાદની અંદરની વિગતો
Uddhav Thackeray Flag Hoisting ઉદ્ધવ ઠાકરેએ મધ્યરાત્રિએ શિવસેના ભવન પર તિરંગો ફરકાવ્યો, જણાવ્યું વિશેષ કારણ
Exit mobile version