Site icon News Continuous Bureau | Mumbai

Delhi News: કેજરીવાલની કેબિનેટમાં મોટો ફેરફાર, શિક્ષણ પ્રધાન આતિશીને હવે આ વિભાગ સોંપાયુ..

Delhi News: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. આતિશી અને સૌરભ ભારદ્વાજના પોર્ટફોલિયોની અદલાબદલી કરવામાં આવી છે….

Big change in Kejriwal's cabinet, education minister Atishi has now been assigned this department

Big change in Kejriwal's cabinet, education minister Atishi has now been assigned this department

News Continuous Bureau | Mumbai 

Delhi News: દિલ્હી (Delhi) ની કેજરીવાલ (Arvind Kejriwal) સરકાર એટલે કે આપ પાર્ટી (AAP Party) ની બનેલી સરકાર પર તેના ત્રણ જેટલા મહત્વના કદાવર નેતા જેલમા ગયા બાદ સરકારને સુચારૂ રૂપથી ચલાવવા માટેનો પડકાર સામે આવ્યો છે. આ પડકારને પાર પાડવા માટે થોડાથોડા સમયે કેજરીવાલ દ્વારા સરકારના વિવિઘ વિભાગમાં ફેરફાર સાથે વિસ્તરણ કરવાની ફરજ પડી રહી છે.

Join Our WhatsApp Channel

દિલ્હી સરકારના મંત્રાલયોમાં(Cabinet) મોટા ફેરફાર કરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં શિક્ષણ પ્રધાન આતિશીને પાણી પુરવઠા (Water Department) વિભાગ સોંપવામાં આવ્યો છે. આ પહેલા આ વિભાગ સૌરભ ભારદ્વાજ પાસે હતો, તો સામે આતિશી પાસે ટુરીઝમ, કલા અને કલ્ચર વિભાગ હતો તે સૌરભ ભારદ્વાજને ફાળવી દેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : MP Assembly Election 2023: ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવા મુદ્દે INDIA ગઠબંધનમાં સામેલ 4 પક્ષો સામ-સામે ! ભાજપે કર્યો કટાક્ષ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..

દિલ્હી સરકારના મંત્રાલયોમાં મોટો ફેરફાર…

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા જેલમાં ગયા બાદ આતિશી અને સૌરભ ભારદ્વાજને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. મળતી માહિતિ પ્રમાણે આતિશી અને સૌરભ ભારદ્વાજને મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના ખાતાની ફાળવણી કરીને વિભાગને કાર્યરત રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. AAP MLA આતિશી અને સૌરભ ભારદ્વાજ દ્વારા 9 માર્ચના રોજ પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.

બંને ધારાસભ્ય દ્વારા પ્રધાન પદ સંભાળ્યા બાદ આતિશીને શિક્ષણ, PWD, વીજળી અને પ્રવાસન વિભાગનો હવાલો આપવામાં આવ્યો હતો, જ્યારે સૌરભ ભારદ્વાજને આરોગ્ય, શહેરી વિકાસ, પાણી અને ઉદ્યોગ વિભાગનો હવાલો ફાળવાયો હતો.

અરવિંદ કેજરીવાલ દ્વારા ભલામણ કરવામાં આવી હતી જેને લઈ દિલ્હીના એલજી વિનય સક્સેનાએ રાષ્ટ્રપતિ મુર્મૂને ભલામણ કરીને મંત્રમંડળમાં સામેલ કરવા માટે આતિશી અને ભારદ્વાજના નામને મુકવામાં આવ્યું હતું. જણાવવું રહ્યું કે સૌરભ ભારદ્વાજ આપ પાર્ટીના વર્ષ 2013થી ધારાસભ્ય છે અને સાથે પાણી પુરવઠા બોર્ડના ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. તો બીજી તરફ આતિશી પણ મનિષ સિસોદીયાની સલાહકાર રહી ચુકી છે કે જ્યારે તેઓ શિક્ષણ વિભાગને જોઈ રહ્યા હતા.

 

Nautapa Weather Update। મહારાષ્ટ્રમાં ‘નવતપા’ શરૂ થતાં જ પારો ૪૭ ડિગ્રીને પાર, હવામાન વિભાગની કડક ચેતવણી
Fuel Hoarding in Maharashtra। મહારાષ્ટ્રમાં પેટ્રોલડીઝલની અછત મુદ્દે સીએમ ફડણવીસ સખત, ગૃહ વિભાગ એલર્ટ પર
Bahujan Vikas Aaghadi Shivsena Merge। મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત હિતેન્દ્ર ઠાકુરની ‘બહુજન વિકાસ આઘાડી’ શિવસેનામાં વિલીન થવાની શક્યતા
Mumbai Weather Yellow Alert। મુંબઈમાં બફારા અને ઉકળાટથી જનજીવન પ્રભાવિત આગામી ૨ થી ૩ દિવસ ભારે, જાણો તમારા શહેરમાં કેટલો રહેશે પારો
Exit mobile version