Site icon

સૌથી મોટા સમાચાર : આ રીતે મહારાષ્ટ્રમાં lockdown unlock થશે. દુકાને મળશે આ રાહત, પણ લોકલ ટ્રેન બાબતે નિરાશા. જાણો વિગતવાર…

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર

રાજ્ય સરકાર હવે કોરોના ઓછો થવાની સાથે જ lockdown ને અનલોક કરવા સંદર્ભે ગંભીર રીતે વિચાર કરી રહી છે. રાજ્ય સરકારે આ સંદર્ભે એક રણનીતિ વિચારી છે. મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચાર ચરણ માં lockdown ને હટાવવામાં આવશે.
સર્વપ્રથમ ચરણમાં દુકાનોને આંશિક રીતે ખોલવાની પરવાનગી આપવામાં આવશે
બીજા ચરણમાં દુકાનો અને સંપૂર્ણ રીતે ખોલવાની પરવાનગી આપવામાં આવશે
ત્રીજા ચરણમાં રેસ્ટોરન્ટ, પબ અને બારની ખોલવામાં આવશે
ચોથા ચરણમાં ટ્રેન સામાન્ય માણસ માટે ખોલવામાં આવશે.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ પહેલી જૂન પછી ન્યૂનતમ પંદર દિવસ સુધી લોકલ ટ્રેન સામાન્ય માણસ માટે ખુલવાની નથી. એટલે કે પ્રાઇવેટ ઓફિસમાં કામ કરનાર લોકોને સમસ્યા રહેશે.
જો કે આ સંદર્ભે હજી સુધી સત્તાવાર રીતે કોઇ જાણકારી બહાર પાડવામાં આવી નથી. આ સંદર્ભે ના અંતિમ નિર્ણય રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગમાં લેવામાં આવશે અને મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાશે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version