Site icon

કોરોના ના કેસ વધી જતાં બિહારમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું, જાણો શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

17 ઓગસ્ટ 2020 

બિહારમાં કોરોના વાયરસના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને બિહાર રાજ્ય સરકારે 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. આજે (સોમવારે) બિહાર સરકારના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, લોકડાઉન રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી યથાાવત રહેશે. જોકે, લોકડાઉનમાં અમુક છુટછાટ આપવામાં આવી છે.  

જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ

#દુકાનો અને બજારોના સમય અને બાકી નિયમોના હિસાબથી જરૂરી પ્રતિબંધના આધિન સંચાલિત કરવાની પરવાનગી આપવામાં આવશે. 

#પ્રદેશમાં શૉપિંગ મોલ, ધર્મ સ્થળ હજુ પણ ખુલશે નહીં.

#રેસ્ટોરાને માત્ર હોમ ડિલીવરીની અનુમતિ મળશે. 

#સરકારી-ખાનગી ઓફિસમાં માત્ર 50 ટકા કર્મચારીને આવવાની પરવાનગી હશે. જોકે, જરૂરી સેવાઓ માટેની ઓફિસોને તેમાંથી મુક્ત રાખવામાં આવી છે. 

#ઈમરજન્સી સેવાઓ ખુલ્લી રહેશે. દુકાનોને વહીવટીતંત્ર તરફથી જારી રેસ્ટોરાના અનુસાર ખોલવાની પરવાનગી હશે. 

#કંન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી તમામ ગતિવિધિ ચાલુ રહેશે.

#રાતે 10 વાગ્યા બાદ નાઈટ કર્ફ્યુ જારી રહેશે. 

#6 સપ્ટેમ્બર સુધી બિહારમાં કેટલીક શરતોની સાથે દુકાન અને બજાર ખોલવામાં આવશે. બજારને ખુલવાનો સમય સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હશે. 

#મોલ, સ્કુલ, કોલેજ, કોચિંગ સેન્ટર, જિમ, પાર્ક, હોટલ, સિનેમા હોલ પહેલાની જેમ બંધ રહેશે.

#રાજ્યમાં બસો દોડશે નહીં. જોકે આવશ્યક સેવાઓવાળી કચેરીને તેમાંથી મુક્ત રાખવામાં આવી છે…

Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Exit mobile version