Site icon

કોરોના ના કેસ વધી જતાં બિહારમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું, જાણો શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

17 ઓગસ્ટ 2020 

બિહારમાં કોરોના વાયરસના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને બિહાર રાજ્ય સરકારે 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. આજે (સોમવારે) બિહાર સરકારના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, લોકડાઉન રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી યથાાવત રહેશે. જોકે, લોકડાઉનમાં અમુક છુટછાટ આપવામાં આવી છે.  

જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ

#દુકાનો અને બજારોના સમય અને બાકી નિયમોના હિસાબથી જરૂરી પ્રતિબંધના આધિન સંચાલિત કરવાની પરવાનગી આપવામાં આવશે. 

#પ્રદેશમાં શૉપિંગ મોલ, ધર્મ સ્થળ હજુ પણ ખુલશે નહીં.

#રેસ્ટોરાને માત્ર હોમ ડિલીવરીની અનુમતિ મળશે. 

#સરકારી-ખાનગી ઓફિસમાં માત્ર 50 ટકા કર્મચારીને આવવાની પરવાનગી હશે. જોકે, જરૂરી સેવાઓ માટેની ઓફિસોને તેમાંથી મુક્ત રાખવામાં આવી છે. 

#ઈમરજન્સી સેવાઓ ખુલ્લી રહેશે. દુકાનોને વહીવટીતંત્ર તરફથી જારી રેસ્ટોરાના અનુસાર ખોલવાની પરવાનગી હશે. 

#કંન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી તમામ ગતિવિધિ ચાલુ રહેશે.

#રાતે 10 વાગ્યા બાદ નાઈટ કર્ફ્યુ જારી રહેશે. 

#6 સપ્ટેમ્બર સુધી બિહારમાં કેટલીક શરતોની સાથે દુકાન અને બજાર ખોલવામાં આવશે. બજારને ખુલવાનો સમય સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હશે. 

#મોલ, સ્કુલ, કોલેજ, કોચિંગ સેન્ટર, જિમ, પાર્ક, હોટલ, સિનેમા હોલ પહેલાની જેમ બંધ રહેશે.

#રાજ્યમાં બસો દોડશે નહીં. જોકે આવશ્યક સેવાઓવાળી કચેરીને તેમાંથી મુક્ત રાખવામાં આવી છે…

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version