Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ના કેસ વધી જતાં બિહારમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું, જાણો શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

17 ઓગસ્ટ 2020 

બિહારમાં કોરોના વાયરસના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને બિહાર રાજ્ય સરકારે 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. આજે (સોમવારે) બિહાર સરકારના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, લોકડાઉન રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી યથાાવત રહેશે. જોકે, લોકડાઉનમાં અમુક છુટછાટ આપવામાં આવી છે.  

જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ

#દુકાનો અને બજારોના સમય અને બાકી નિયમોના હિસાબથી જરૂરી પ્રતિબંધના આધિન સંચાલિત કરવાની પરવાનગી આપવામાં આવશે. 

#પ્રદેશમાં શૉપિંગ મોલ, ધર્મ સ્થળ હજુ પણ ખુલશે નહીં.

#રેસ્ટોરાને માત્ર હોમ ડિલીવરીની અનુમતિ મળશે. 

#સરકારી-ખાનગી ઓફિસમાં માત્ર 50 ટકા કર્મચારીને આવવાની પરવાનગી હશે. જોકે, જરૂરી સેવાઓ માટેની ઓફિસોને તેમાંથી મુક્ત રાખવામાં આવી છે. 

#ઈમરજન્સી સેવાઓ ખુલ્લી રહેશે. દુકાનોને વહીવટીતંત્ર તરફથી જારી રેસ્ટોરાના અનુસાર ખોલવાની પરવાનગી હશે. 

#કંન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી તમામ ગતિવિધિ ચાલુ રહેશે.

#રાતે 10 વાગ્યા બાદ નાઈટ કર્ફ્યુ જારી રહેશે. 

#6 સપ્ટેમ્બર સુધી બિહારમાં કેટલીક શરતોની સાથે દુકાન અને બજાર ખોલવામાં આવશે. બજારને ખુલવાનો સમય સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હશે. 

#મોલ, સ્કુલ, કોલેજ, કોચિંગ સેન્ટર, જિમ, પાર્ક, હોટલ, સિનેમા હોલ પહેલાની જેમ બંધ રહેશે.

#રાજ્યમાં બસો દોડશે નહીં. જોકે આવશ્યક સેવાઓવાળી કચેરીને તેમાંથી મુક્ત રાખવામાં આવી છે…

Kalyan Teacher Murder Case મિલકત પચાવી પાડવાના મોહમાં શિક્ષિકાની નિર્મમ હત્યા, વસિયતનામા પર બળજબરીથી સહીઓ કરાવી..
Kalyan Youth Murder કલ્યાણમાં ૨૮ વર્ષીય યુવકની ૧૬ ઘા ઝીંકી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ૩૬ કલાકમાં ૩ આરોપીઓને દબોચ્યા
Thane Youth Murder લોજમાં ચારિત્ર્ય પર શંકા રાખી યુવતીની શ્વાસ રુંધીને હત્યા, પોલીસે માત્ર ૨ કલાકમાં આરોપી પ્રેમીને દબોચ્યો
Farmer Murder શહાપુરમાં પત્નીના પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની કરી નિર્મમ હત્યા, મૃતદેહ ખાઈમાં ફેંક્યો
Exit mobile version