Site icon

 કિરીટ સોમૈયા ફરી ગર્જયાઃ  હવે આ નેતાને લીધા આડે હાથ.. જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 1 નવેમ્બર, 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

મહાવિકાસ આઘાડીના એક પછી એક મંત્રીઓના કૌભાંડો બહાર લાવી રહેલા ભાજપના નેતાએ હવે તેમની તોપ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર અને તેમના પરિવાર તરફ તાકી છે. દિવાળી બાદ ત્રણ પ્રધાનો અને ત્રણ જમાઈનો કૌભાંડો હું બહાર લાવીશ એવુ રવિવારે ટવીટ કર્યા બાદ સોમવાર સોમૈયાએ પત્રકાર પરિષદ લીધી હતી. જેમાં તેમણે પવાર પરિવારના જમાઈ મોહન પાટીલ પાસે આટલા પૈસા કયાંથી આવ્યા? કેવી રીતે આવ્યા? તે કયાં ગયા? એવા સવાલો કરીને પવાર પરિવારને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો હતો. છ ફટાકડામાંથી એક ફટાકડો આજે ફોડયો છે. હિંમત હોય તો શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ સામે આવીને જવાબ આપવો જોઈએ એવી ચેલેન્જ પણ સોમૈયાએ કરી હતી.

પવાર પરિવારના જમાઈ બાદ સોમૈયાએ રાજ્યના નાયબ પ્રધાન અજીત પવાર સામે પણ ગંભીર આરોપ કર્યા હતા. બિલ્ડરો પાસેથી તેમના ખાતામાં ભરપૂર પૈસા આવ્યા છે. તે પૈસા અજિત પવારે કયા કયાં ટ્રાન્સફર કર્યા? જમાઈ, બહેન, પત્ની, દીકરો તથા પોતાની માતાના ખાતામાં અજીત પવારે આ પૈસા જમા કર્યા છે. અજીત પવારે કૌભાંડના પૈસા પૂરા પોતાના પરિવારના ખાતામાં જમા કર્યા હોવાનો આરોપ પણ સોમૈયાએ કર્યો હતો. 19 દિવસથી ઈડી ધાડ પાડી રહી છે. હજાર કરોડ રૂપિયાથી પણ વધારે બેનામી સંપત્તિ તેમની પાસે હોવાનો દાવો પણ સોમૈયાએ કર્યો હતો.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version