Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના આ નેતાએ મહારાષ્ટ્ર સરકારને ફરી કોલ્હાપુર જવાની ચીમકી આપી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

મહાવિકાસ આઘાડીના ગ્રામવિકાસ મંત્રી હસન મુશ્રીફના કૌભાંડના વિરોધમાં મુરગૂડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા માટે 28 સપ્ટેમ્બરના કોલ્હાપુર જવાની જાહેરાત ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ કરી છે. તે બાબતે તેમણે કલેકટર રાહુલ રેખાવારને પત્ર લખીને જાણ કરી દીધી છે.

બે દિવસ પહેલા પણ કિરીટ સોમૈયાએ કોલ્હાપુર જવાની જાહેરાત કરી હતી. પરંતુ કોલ્હાપૂરના કલેકટરે તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. છતાં સોમૈયા કહાડ સુધી ગયા હતા. ત્યાં તેમને પોલીસે અટકાવતા ત્યાંથી તેમણે પાછા ફરવું પડયું હતું. હવે તેઓ ફરી મંગળવારે કોલ્હાપુર જવાના છે, એવી જાહેરાત તેમણે કરી છે.

 આ દરમિયાન કોલ્હાપુરની શાંતિ બગાડવી નહીં. સ્થાનિક લોકોને ઉશ્કેરીને રાજકારણ કરવું નહીં એવી ચીમકી કોલ્હાપુર નાગરી કૃતિ સમિતિએ કિરીટ સોમૈયાને આપી છે. તો સ્થાનિક રાષ્ટ્રવાદીના નેતાઓએ કિરીટ સોમૈયા સામે કાયદાનો ભંગ કરવા બદલ કાયદેસર પગલા લેવાની મુખ્યપ્રધાન સક્ષમ માગણી કરી છે.

દિલ્હીની સરકારી હોસ્પિટલમાં છૂપાવેશે પહોંચેલા મંત્રી મનસુખ માંડવિયા સાથે એવું તે શું થયું? કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ વાત કહેવી પડી: જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ કિરીટ સોમૈયા કોલ્હાપુર જવા નીકળ્યા હતા. પરંતુ પોલીસે અગાઉ તેમના મુલુંડના નિવાસસ્થાન પર તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ કિરીટ સોમૈયા કોલ્હાપુર જવા માટે ટ્રેન પકડવા  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ગયા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા હતા.

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version