Site icon

ભાજપના આ નેતાએ સંજય રાઉતને લઈને કહી દીધી મોટી વાત.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર, 

બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના સાંસદ સંજય રાઉતની ભાજપ અને ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કરવા બદલ આકરી ટીકા કરી છે. 

આવો લાચાર મુખ્યમંત્રી મહારાષ્ટ્રના ઇતિહાસમાં ક્યારેય બન્યો નથી, એમ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું હતું. તેમજ સંજય રાઉત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર નજર રાખી રહ્યા હોવાનો દાવો પણ નારાયણ રાણેએ કર્યો હતો. 

સંજય રાઉત શિવસેનાના નથી એમ કહીને તેમણે શિવસેનાને ખતમ કરવાની NCPની સોપારી લીધી છે, આવા શબ્દોમાં કેન્દ્રીય મંત્રી રાણેએ રાઉત પર આકરા પ્રહારો કર્યા હતા.

નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પણ કટાક્ષ કરતા કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના ઈતિહાસમાં સૌથી લાચાર મુખ્યમંત્રી છે. તેમણે એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ પાર્ટીની પણ ટીકા કરી હતી.

શિવસેના 2024 સુધીમાં દિલ્હીની ગાદી પર પહોંચી જશે, શિવસેનાના આ નેતાએ કરી દીધો મોટો દાવો.. જાણો વિગત

રાણેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતા કહ્યું છે કે જેમની ટીકા કરી હતી તેઓ આજે સત્તા માટે તેમની સાથે બેઠા છે. નારાયણ રાણેએ એમ પણ કહ્યું કે સંજય રાઉતે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે વિશે ખૂબ જ ગંદા નિવેદનો કર્યા છે અને મારી પાસે તેના પુરાવા છે. સંજય રાઉતે કહ્યું હતું કે જો તેઓ મને પદ નહીં આપે તો તેઓ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને રસ્તા પર લાવશે.

નારાયણ રાણેએ કહ્યું કે સાંસદ સંજય રાઉતે ભાજપ અને ભાજપના નેતાઓ પર લગાવેલા આરોપો પાયાવિહોણા છે. રાઉત પાસે તેની સામે કોઈ પુરાવા નથી. નારાયણ રાણેએ એવી પણ ચેતવણી આપી છે કે રાઉત ED અને CBIની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version