Site icon

ભાજપના આ નેતાએ મોદી સરકારને તમામ મોર્ચે નિષ્ફળ ગણાવી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 26 નવેમ્બર  2021    
શુક્રવાર.

બટકબોલા ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણીયમ સ્વામી પોતાની તીખી જબાન માટે જાણીતા છે. કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર મોઢા પર બોલી નાખનારા સુબ્રમણ્યમે 25 નવેમ્બરના એક ટ્વિટમાં મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું હતું અને મોદી સરકારને તમામ મોરચે નિષ્ફળ ગણાવી હતી.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, આ કેન્દ્રીય મંત્રીએ ર્ક્યો નવો દાવો કહ્યું- મહા વિકાસ અઘાડી સરકાર ટૂંક સમયમાં પડી જશે

દેશની આંતરિક સુરક્ષા, અર્થતંત્ર, સીમા સુરક્ષા, અફઘાનિસ્તાનમાં  નિષ્ફળ ગયેલી વિદેશ નિતી, પેગાસસ જેવા મુદ્દા પર કેન્દ્ર સરકાર સરકારને તેમણે નિષ્ફળ ગણાવી હતી, સાથે જ તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ બધા માટે સુબ્રમણીયમ જવાબદાર છે.
 સુબ્રમણ્યમ અનેક વખત ટ્વિટર પર મોદી સરકારની નિતીઓ પર ટીકા કરતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે હજી 24 નવેમ્બરના જ તેઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ તૃણમુલ કોંગ્રેસમાં જોડાવાના હોવાની અફવાએ જોર પકડયું છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version