Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! હવે ભાજપનો પલટ વાર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે નોંધાવી FIR, 2018માં આદિત્યનાથ માટે અપશબ્દો બોલ્યા હતા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ નિવેદન બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો છે. જોકે હવે ભાજપે શિવસેના પર પલટ વાર કર્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ માટે 2018માં પાલઘરની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ અપશબ્દો ઉચ્ચાર્યા હતા. એ પ્રકરણમાં યવતમાળ જિલ્લાના ભાજપ અધ્યક્ષે ઉદ્ધવ ઠાકરે સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.

રાજસ્થાનનાં બાડમેરમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ થયું ક્રેશ, કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ; જાણો વિગતે 

આ પ્રકરણમાં ઉદ્ધવ ઠાકરેની ધરપકડ નહીં કરી તો  હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવાની ધમકી પણ ભાજપે આપી છે, તો નાશિકમાં પણ ભાજપના કાર્યકર્તા દ્વારા ઉદ્ધવ ઠાકરે સહિત તેમનાં પત્ની અને ‘સામના’ અખબારના તંત્રી રશ્મિ ઠાકરે તેમ જ શિવસેનાની યુવા પાંખ યુવાસેનાના અધ્યક્ષ વરુણ દેસાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તો ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉદ્ધવ ઠાકરે સામે ગુનો નોંધવામાં આવ્યો છે.  

KanjurmargBadlapur Metro14 મુંબઈગરા માટે ખુશખબર કાંજુરમાર્ગબદલાપુર મેટ્રો14 પ્રોજેક્ટને મળી મંજૂરી, મુસાફરી થશે સરળ
Bhimashankar Temple Reopens ભીમાશંકર મહાદેવના કપાટ ૫ મહિના બાદ ફરી ખુલ્યા, પ્રશાસને ભક્તોની સુરક્ષા માટે લીધા આ ૫ મોટા નિર્ણયો
Monsoon Update મહારાષ્ટ્રમાં ચોમાસું પાછું ઠેલાયું હવામાન વિભાગે જાહેર કર્યું નવું એલર્ટ, જાણો હવે કઈ તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદ
Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Exit mobile version