Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : પશ્ચિમ બંગાળમાં ભાજપના આ દિગ્ગજ નેતાએ જાહેર રાજકારણમાંથી નિવૃત્તિ લીધી;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

પશ્ચિમ બંગાળથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ બાબુલ સુપ્રિયોએ જાહેર રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે ફેસબુક પર લખેલી પોસ્ટમાં પોતાના મનની આ વાત શૅર કરી છે.

સુપ્રિયોએ આ જાહેરાત તેમના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ગુડબાય. હું અન્ય કોઈ રાજકીય પક્ષ કે તૃણમૂલ કૉન્ગ્રેસ કે CPMમાં નથી જઈ રહ્યો. કોઈએ મને બોલાવ્યો નથી. હું ક્યાંય જતો નથી, પરંતુ સામાજિક કાર્ય કરવા માટે રાજકારણમાં હોવું જરૂરી નથી.આ પોસ્ટ સાથે રાજનીતિમાંથી નિવૃત્ત થવાની વાત કરી હતી.

દેશભરના ઝવેરીઓની આ માગણી સાથે પાંચ ઑગસ્ટના હડતાલની ચીમકી; જાણો વિગત

બાબુલ સુપ્રિયોએ એક લાંબી ફેસબુક પોસ્ટ પર વારંવાર લખ્યું છે કે તે જઈ રહ્યા છે અને સાથે જ તેઓ સંસદમાંથી રાજીનામું આપવાના છે. તેમણે લખ્યું છે કેમેં નક્કી કરી લીધું છે કે હું રાજકારણ છોડી રહ્યો છું અને મેં વારંવાર આ વાત માનનીય અમિત શાહજી અને નડ્ડાજીને કહી છે.

ઉલ્લેખનીય છે કે આ રીતે બાબુલ સુપ્રિયોના આમ અચાનક રાજકારણ છોડવાથી ભાજપને પશ્ચિમ બંગાળમાં મોટો ફટકો પડ્યો છે.

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version