Site icon

હવે વરુણ ગાંધી નવા મામલે ભાજપ થી નારાજ થયા. આ પગલું લીધું. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

 ભાજપના યુપીના સાંસદ વરુણ ગાંધીએ પોતાની જ સરકાર સામે ફરી સવાલ કર્યો છે.વરુણ ગાંધીએ કહ્યુ છે કે, જેમણે કેન્ડલ માર્ચ કાઢી હતી તે પણ ભારત માતાના સંતાનો છે.તેમની વાત માનવાની તો દુર રહી પણ તેમને સાંભળવા પણ તૈયાર નથી..ઉપરથી તેમના પર આ રીતે જંગલી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.જરા પોતાના દિલ પર હાથ મુકીને વિચારજાે કે તમારા બાળકો હોત તો તેમની સાથે પણ આ જ વ્યવહાર કરવામાં આવ્યો હોત? જ્યારે ખાલી જગ્યા પણ છે અને ઉમેદવારો પણ છે તો ભરતી કેમ કરવામાં આવતી નથી.રાહુલ ગાંધીએ પણ કહ્યુ છે કે, જે લોકો નોકરી માંગતા હતા તેમને યુપી સરકારે લાઠીઓ મારી છે એટલે હવે ભાજપવાળા વોટ માંગવા આવે તો યાદ રાખજાે. અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, ભાવિ શિક્ષકો પર લાઠીચાર્જ કરીને ભાજપ સરકારે વિશ્વ ગુરુ બનવાનો રસ્તો ખોલી નાંખ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ૩૭૦૦૦ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો છેલ્લા પાંચ મહિનાથી દેખાવો કરી રહ્યા છે.ગઈકાલે તેઓ સીએમ આવાસ તરફ કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.જેમાં ૬ ઉમેદવારો ઘાયલ પણ થયા છે.યુપીમાં સહાયક શિક્ષકોની ૩૭૦૦૦ જગ્યાઓ ખાલી છે.આ જગ્યાઓ ભરવાની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢનારા યુવાઓ પર લખનૌમાં પોલીસે ગઈકાલે રાત્રે લાઠીચાર્જ કર્યો હતો.

દેશમાં ૫૦ ટકા લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે. સ્વાસ્થ્ય મંત્રી નો દાવો. જાણો આંકડા અહીં…
 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version