Site icon

‘મુંબઇ મહાનગરપાલિકાએ ચીન પાસેથી સામાન ખરીદી રાજદ્રોહ કર્યો છે’, ભાજપે ઉચ્ચ સ્તરીય તપાસની કરી માંગ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

21 જુલાઈ 2020

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચીનથી કોરોના માટે મેડિકલ સપ્લાયની ખરીદીને લઈને ભાજપ હવે આક્રમક થઇ રહ્યું છે. ભાજપના નેતાએ માંગ કરી છે કે "મનપા સામે, ચીની કંપનીઓ પાસેથી તબીબી સાધનો ખરીદવા બદલ દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઇએ." ભાજપનો આરોપ છે કે "મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કૌભાંડો કરવા માટે ચીની કંપનીઓ સાથે હાથ મિલાવ્યા હતા."

નોંધનીય છે કે ગાલવાન ખીણમાં ભારત-ચીન સંઘર્ષને કારણે બંને દેશો વચ્ચે ભારે તણાવ છે. ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. પરિણામે, દેશભરમાં ક્રોધ વ્યાપ્યો છે. આ ઘટના બાદ, કેન્દ્ર સરકારે ચીની કંપનીઓ પર પ્રતિબંધ મુક્યા છે, અનેક સરકારી પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓના કરાર રદ કર્યા છે. કેન્દ્રએ ટિકટોક સહિત 59 ચીની મોબાઇલ એપ્લિકેશનો પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

આવા સમયે મુંબઈ મહાનગરપાલિકાએ ચીની કંપનીઓ પાસેથી તબીબી સામાન ખરીદ્યો છે જેની કિંમત આશરે 4 કરોડ રૂપિયા છે. જ્યારે ભારતીય કંપનીઓ આ તબીબી ઉપકરણોનું નિર્માણ કરી જ રહી છે. ત્યારે ભાજપે સવાલ ઉઠાવ્યો કે "શું કામ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ તબીબી ઉપકરણો ચીન પાસેથી ખરીદ્યા છે??" જોકે, શિવસેનાએ આ અંગે હજી કોઈ ટિપ્પણી કરી નથી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version