Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ-શિવસેના વચ્ચેના મતભેદ ફરી સામે આવ્યા-કોંગ્રેસના  નેતાએ BMCની વોર્ડની પુર્નરચનાને લઈને કર્યા આરોપ-સીધો લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર અને કરી આ માંગણી

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ(Congress) અને શિવસેના(Shivsena) વચ્ચે મતભેદ હોવાનું ફરી એક વખત સામે આવ્યું છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ મિલિન્દ દેવરાએ(Former MP Milind Deora) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) એકનાથ શિંદે(Eknath Shinde) પત્ર લખ્યો છે, તેમા તેમણે મુંબઈ મહાનગરપાલિકાની વોર્ડની(BMC Ward) પુર્નરચના અને આરક્ષણને લઈને બહાર પાડવામાં આવેલી લોટરીને રદ કરવાની માંગણી કરી છે.

Join Our WhatsApp Community

મિલિંદ દેવરાએ પોતાના પત્રમાં લખ્યું છે કે તત્કાલીન રાજ્ય સરકારે(State Government) મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુર્નરચના કરી હતી. ફેબ્રુઆરી 2022માં કરવામાં આવેલી પુર્નરચના સામે 800થી વધુ રાજકીય અને બિનરાજકીય લોકોના વિરોધ નોંધાયા હતા. તેની રાજ્ય સરકારે કોઈ નોંધ લીધી નહોતી.

આ સમાચાર પણ વાંચો :  શિવસેનાની મુશ્કેલીમાં વધારો-મુંબઈમાં મહત્વનો ગઢ ગણાતા આ વિસ્તારના ધારાસભ્ય અને કાર્યકર્તાઓના પદ પરથી આપ્યા રાજીનામા

મિલિન્દ દેવરાએ પોતાના પત્રમાં એવો પણ આરોપ કર્યો છે કે એક પક્ષને ફાયદો થાય તે મુજબ વોર્ડની નવેસરથી રચના કરવામાં આવી છે અને તે મુજબ આરક્ષણની લોટરી(Reservation Lottery) કાઢવામાં આવી છે. 2017માં કોંગ્રેસે જીતેલી પાલિકાની 30 જગ્યામાંથી 20 જગ્યાની ફેરરચના જાણીજોઈને અને ખોટી પદ્ધતીએ કરવામાં આવી છે. તેથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.

આરક્ષણની લોટરીમાં પણ અનેક ખોટી રીતે આરક્ષણ કરવામાં આવ્યા છે. વોર્ડની રચના પણ 227માંથી 236 કરવા પહેલા જનગણના કરવી જોઈતી હતી. તેને બદલે 2011ની જનગણનાને અમલમાં મૂકવામાં આવી હતી, જે ખોટી પદ્ધતિ કહેવાય. તેથી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વોર્ડની પુનરચના અને આરક્ષણને રદ કરો એવી માગણી મિલિન્દ દેવરાએ કરી છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version