Site icon

રેમડેસિવીરનું ડીંડવાણું લાંબું ચાલ્યું : બૉમ્બે હાઈકોર્ટનો સીધો સવાલ, સોનુ સૂદ અને ધારાસભ્ય ઝીશાન પાસે રેમડેસિવીર ક્યાંથી આવી? રાજ્ય સરકારને તપાસના નિર્દેશ આપ્યા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્ર સરકારે બૉમ્બે હાઈકોર્ટને જાણ કરી છે કે કોવિડ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા રિમડેસિવીર ખરીદવા માટે સેલિબ્રિટી સોનુ સૂદ અને કૉન્ગ્રેસના ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી સાથે જોડાયેલા કેસોમાં ગુનાહિત ફરિયાદોની તપાસ અને નોંધણી શરૂ કરવામાં આવી છે. સિદ્દીકી બીડીઆર ફાઉન્ડેશન નામના ટ્રસ્ટની મદદથી લોકોને મદદ કરી રહ્યો હતો. ટ્રસ્ટ પાસે ડ્રગ્સ સપ્લાય કરવાની જરૂરી મંજૂરી નહોતી. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે ટ્રસ્ટ અને ટ્રસ્ટી ધીર શાહ સામે મઝગાંવ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક ફાર્માસ્યુટિકલ્સ કંપની અને તેના 4 ડિરેક્ટર વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે.

અભિનેતા સોનુ સૂદે રેમડેસિવીર દ્વારા દર્દીઓની મદદ કરવા સંદર્ભે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે તપાસ દરમિયાન તેઓને "એથી બી, અને પછી બીથી સી નિર્દેશિત કરવામાં આવ્યા હતા અને છેવટે અમે તપાસ દરમિયાન લાઇફલાઇન મેડિકેર હૉસ્પિટલની અંદર આવેલા મેડિકલમાં પહોંચી ગયા હતા."

ન્યાયાધીશ કુલકર્ણીએ કહ્યું, "દવા ઉપલબ્ધ છે કે નહી, સપ્લાય કાયદેસર છે કે નહીં તેની ચકાસણી કર્યા વિના આ લોકો મસિહા બનવા માગે છે. અમે રાજ્ય સરકારને તેમની પ્રક્રિયાઓની ચકાસણી કરવાની અપેક્ષા રાખીએ છીએ, તેમના વિના, કોઈ પણ વ્યક્તિને જાણવું અશક્ય હતું કે આ સપ્લાયર કોણ છે. અમે ઇચ્છીએ છીએ કે તમે આ બંનેની ભૂમિકાની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરો.”

ઉલ્લેખનીય છે કે રેમડેસિવીરની સપ્લાય સીધી કેન્દ્ર સરકાર મારફેત રાજ્ય સરકારોને કરવામાં આવે છે. તેવામાં અભિનેતા સોનુ સૂદ અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી પાસે લોકોની મદદ કરવા રેમડેસિવીર ક્યાંથી આવ્યા તેવો ગંભીર સવાલ કોર્ટે કર્યો છે.

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version