Site icon News Continuous Bureau

મહારાષ્ટ્ર સરકારનું નાક કપાયું. હાઈકોર્ટનો આદેશ આવ્યો, કહ્યું નાગપુર ને તત્કાળ દસ હજાર રેમડેસિવર આપો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્ર સરકારે નાગપુર સાથે અન્યાય કર્યો છે? આવું જ કંઈક બોમ્બે હાઇકોર્ટની નાગપુરની ખંડપીઠ ને લાગ્યું છે. વાત એમ છે કે મીડિયામાં આવી રહેલા રિપોર્ટ અનુસાર નાગપુરની ખંડપીઠે સુ મોટો કેસ દાખલ કર્યો હતો. આ દરમિયાન ન્યાયાધીશે નોંધ્યું કે રાજ્ય સરકારે નાગપુર સાથે ભારોભાર અન્યાય કર્યો છે. થાણા જિલ્લા માં ઓછા દર્દી હોવા છતાં વધુ સુવિધા આપી છે જ્યારે કે નાગપુર જિલ્લામાં વધુ દર્દીઓ હોવા છતાં ઓછી સુવિધા આપી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે હવે રાજ્ય સરકારે માત્ર અમુક કલાકની અંદર નાગપુર ને 10000 રેમડેસિવર ઇન્જેક્શન આપવા પડશે.

હવે આ છ રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આવતા કોરોના ટેસ્ટ નેગેટિવ ફરજિયાત છે. જાણો વિગત

આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે પૂરેપૂરો હિસાબ માંગ્યો છે કે તેણે નાગપુર શહેર માટે શું કર્યું?

આમ પોતાની જનતા સાથે વહાલા-દવલાની નીતિ અપનાવ્યા નો રાજ્ય સરકારના માથે આરોપ લાગ્યો છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version