Site icon

CAA Rules Notification: શું રાજ્ય સરકારો તેમના રાજ્યોમાં CAAનો અમલ અટકાવી શકે છે? જાણો શું કહે છે નિષ્ણાંતો.. .

CAA Rules Notification: કેરળ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ કહે છે કે તેઓ તેમના રાજ્યોમાં CAA લાગુ કરવા દેશે નહીં. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને એક નિવેદનમાં કહ્યું કે ચૂંટણી પહેલા CAAની જોગવાઈઓને સૂચિત કરવાનું કેન્દ્રનું આ પગલું દેશમાં અશાંતિ લાવવાનું છે.

CAA Rules Notification Can state governments stop implementation of CAA in their states

CAA Rules Notification Can state governments stop implementation of CAA in their states

   News Continuous Bureau | Mumbai

CAA Rules Notification: કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે, નાગરિકતા સંશોધન કાયદો હવે દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ રાજ્યોમાં આ કાયદાના અમલને લઈને વિવાદ વધ્યો છે. પશ્ચિમ બંગાળ અને કેરળ જેવા ઘણા રાજ્યો કહે છે કે તેઓ તેમના સંબંધિત રાજ્યોમાં આ કાયદો લાગુ કરશે નહીં. 

Join Our WhatsApp Community

પરંતુ ભારતના બંધારણે ( Indian constitution ) સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ ( State Government ) રાજ્ય CAA લાગુ કરવાનો ઇનકાર કરી શકે નહીં કારણ કે નાગરિકતા રાજ્યની સૂચિમાં નહીં પણ કેન્દ્રીય સૂચિ હેઠળ આવે છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન બિલ ડિસેમ્બર 2019 માં સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ત્યારથી, આને લઈને દેશભરમાં મોટા પાયે દેખાવો થયા હતા. આ કાયદા હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ધર્મના નામે અત્યાચાર ભોગવેલાને ભારતીય નાગરિકતા ( Indian citizenship ) આપવાની જોગવાઈ છે. પરંતુ તેના માટે શરત એ છે કે આ લોકો 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવ્યા હોવા જોઈએ.

 ભારતીય રાજ્યો CAA લાગુ કરવાનો ઇનકાર કરી શકતા નથી..

આ અંગે કેરળ ( Kerala ) અને પશ્ચિમ બંગાળના ( West Bengal ) મુખ્યમંત્રીઓ કહે છે કે તેઓ તેમના રાજ્યોમાં CAA લાગુ કરવા દેશે નહીં. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને એક નિવેદનમાં કહ્યું કે ચૂંટણી પહેલા CAAની જોગવાઈઓને સૂચિત કરવાનું કેન્દ્રનું ( central government ) આ પગલું દેશમાં અશાંતિ લાવવાનું છે. ગૃહ મંત્રાલયે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ CAAનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આ ભાજપનું કામ છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તેઓએ મિડીયા દ્વારા તેનો ફેલાવો શરૂ કરી દીધો છે. પરંતુ ડરશો નહીં, અમે બંગાળમાં CAA લાગુ થવા દઈશું નહીં. આ બંગાળ છે.

જો કે, બંધારણ મુજબ, ભારતીય રાજ્યો CAA લાગુ કરવાનો ઇનકાર કરી શકતા નથી કારણ કે નાગરિકતા કેન્દ્રીય સૂચિ હેઠળ આવે છ, રાજ્યની સૂચિમાં નહીં. આમાં બંધારણની કલમ 246 સંસદ અને રાજ્ય વિધાનસભાઓ વચ્ચે કાયદાકીય સત્તાઓનું વિભાજન કરે છે.

આ સમાચાર પણ વાંચો :  Plane Crash in Russia: રશિયન મિલિટરી કાર્ગો પ્લેન ક્રેશ, સવાર તમામ 15 મુસાફરો જીવતા ભૂંજાયા

લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ પીડીટી આચારીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તમામ રાજ્યો પાસે કોઈ વિકલ્પ નથી, તેઓએ સંસદ દ્વારા પસાર કરેલા કાયદાનો અમલ કરવો જ પડશે. જ્યાં સુધી રાજ્યોની ફરિયાદોનો સંબંધ છે, તેઓ હંમેશા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. જો તેમને લાગે કે તેમના નાગરિક અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તેઓ કોર્ટમાં જઈ શકે છે.

દરમિયાન, કેરળની ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા, કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ નેતા દેવબ્રત સૈકિયા, NGO રિહાઇ મંચ અને નાગરિકો. CAA વિરુદ્ધ કુલ 220 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં અગેન્સ્ટ હેટ, આસામ એડવોકેટ્સ એસોસિએશન અને કાયદાના કેટલાક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. CAA કાયદાને પડકારતી કેરળ સરકાર તરફથી અગાઉની એક અરજી પણ હજી પેન્ડિંગ છે.

 CAA બંધારણની 7મી અનુસૂચિ હેઠળ લાગુ કરવામાં આવ્યું છે…

બીજી તરફ સુપ્રીમ કોર્ટના એડવોકેટએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર કયા મુદ્દાઓ પર નિર્ણય લઈ શકે છે તેના પર સંપૂર્ણ સ્પષ્ટતા છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કાયદાને રદ કરવાની સત્તા રાજ્યો પાસે નથી. જે રાજ્યો CAAનો વિરોધ કરી રહ્યા છે. તેઓને બંધારણ મુજબ આમ કરવાની સત્તા આપતું નથી.

નોંધનીય છે કે, CAA બંધારણની 7મી અનુસૂચિ હેઠળ લાગુ કરવામાં આવ્યું છે. સંઘ યાદીની 7મી અનુસૂચિ હેઠળ 97 વિષયો છે, જેમાં સંરક્ષણ, વિદેશ બાબતો, રેલવે અને નાગરિકતા વગેરેનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : ABP Cvoter Opinion Poll: દક્ષિણ ભારતમાં મોદી મેજિક ફેલ, આ રાજ્યમાં ભાજપની જીત, ઓપનિયન પોલ સર્વેમાં થયા ચોંકવનારા ખુલાસા.

એડવોકેટએ વધુમાં કહ્યું હતું કે, જો રાજ્યો CAA લાગુ નહીં કરે તો તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હશે. જો જરૂરી હોય તો, ચોક્કસ રાજ્યના નાગરિકો તેમના મૂળભૂત અધિકારોના અમલીકરણની માંગ સાથે કોર્ટનો સંપર્ક કરી શકે છે.

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version