Site icon

મહારાષ્ટ્ર માં જૈન શ્રાવકોએ પોતાના ઘરમાં જ બેસી પર્યુષણ સ્વાધ્યાય કરવો પડશે, આ કારણથી દેરાસરો નહીં ખોલવામાં આવે.. જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

14 ઓગસ્ટ 2020 

કોરોના ને કારણે દેશભરના તમામ ધાર્મિક સ્થળો બંધ છે. આગામી 15 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ સુધી જૈન સમાજનો સૌથી મહત્વનો તહેવાર પર્યુષણ શરૂ થઇ રહ્યો છે. જૈન સમાજ દ્વારા પર્યુષણ ના દિવસો દરમિયાન દેરાસરો અને ઉપાશ્રયો ખોલવા દેવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાને કારણે પર્યુષણ મહાપર્વ દરમિયાન જિનાલયો તથા ઉપાશ્રયો ખોલવાની મંજૂરી સરકારે આપી નથી. 

મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે 'દેરાસરો અને ઉપાશ્રયો ખુલ્લા મુકવામાં આવે તો કોરોનાનો સામૂહિક ચેપ ફેલાવાની પ્રબળ સંભાવના રહેલી છે.' તેમાં પણ મુંબઈમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. એવા સમયે, જ્યાં સૌથી મોટી સંખ્યામાં ગીરદી થતી હોય એવા કોઈ પણ પર્વ કે પ્રસંગને સરકાર તરફથી પરવાનગી આપવામાં આવતી નથી. સરકાર દ્વારા તર્ક આપવામાં આવ્યો હતો કે તાજેતરમાં જ ગયેલા ધાર્મિક અવસરો જેવા કે પંઢરપુરની પાલખી યાત્રા, ઈદ, દહીં હાંડી અને આગામી ગણેશોત્સવ માટે પણ સરકારે પરવાનગી આપી નથી.

 મહારાષ્ટ્ર સરકારની તર્કબદ્ધ રજૂઆત બાદ બોમ્બે હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો છે અને આ બાબતની સુનાવણી સપ્ટેમ્બર મહિના પર મોકૂફ રાખી છે. આથી હવે પર્યુષણ દરમિયાન જૈન ભક્તોએ પોતાના ઘરમાં જ બેસીને સેવા, સ્વાધ્યાય કરવો પડશે. નોંધનીય છે કે ગત 7મી ઓગસ્ટે દેરાસરો ખોલવાની માંગ જૈન સમુદાયે કરી હતી. જે માટે બોમ્બે હાઇકોર્ટમાં એક અરજી પણ દાખલ કરી હતી. પરંતુ, કોર્ટ તરફથી પણ હાલ કોઇ રાહત આપવામાં આવી નથી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version