Site icon

ભ્રષ્ટાચાર મામલે અરુણ શૌરી વિરુદ્ધ તપાસ શરૂ.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

17 સપ્ટેમ્બર 2020 

રાજસ્થાનની જોધપુરની એક વિશેષ સીબીઆઇ અદાલતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરી સહિત કુલ ચાર લોકોની વિરુદ્ધમાં ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. આરોપ છે કે વર્ષ ૨૦૦૨ માં તેમના નેતૃત્વ હેઠળ સરકારે જે હોટલ વેંચી તેને કારણે સરકારને ૨૪૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું. 

આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો કે ઉદયપુરની લક્ષ્મી વિલાસ પેલેસ હોટલ રાજ્ય સરકારને સોંપવામાં આવે. 

સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ એ જણાવ્યું કે પ્રથમ દૃષ્ટિએ જોતાં એવું લાગે છે કે અરૂણ શૌરી અને તેમના વિભાગના જે તે સમયના કર્મચારીઓએ સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડયું છે. પ્રથમ દ્રષ્ટિએ આ હોદ્દાનો દુરુપયોગ છે.

આમ 18 વર્ષ પછી અરુણ શૌરી કાયદાના સપાટામાં આવ્યા છે.

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version