Site icon

અનિલ દેશમુખ પ્રકરણે CBIએ આ બે અધિકારીઓને સમન્સ મોકલ્યા, પણ અધિકારીઓએ કાર્યાલયમાં જવાનું નકારી દીધું; છેવટે CBIએ કરી વિનંતી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર ૧૦૦ કરોડની વસૂલીનો આરોપ છે. આ પ્રકરણે CBI  તપાસ કરી રહી છે. એમાં CBIએ અનેક અધિકારીઓના જવાબ નોંધ્યા છે. તપાસના એક ભાગ તરીકે હજી બે સાક્ષીઓના જવાબ નોંધાયા નથી. આ બે સાક્ષીઓ રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે અને પોલીસ મહાસંચાલક સંજય પાંડે છે.

CBIએ સીતારામ કુંટે અને સંજય પાંડેને સમન્સ મોકલ્યા હતા. CBIએ આ બાબતે અધિકૃત માહિતી રજૂ નથી કરી, પરંતુ બન્નેને ક્યારે અને કેટલા વાગ્યા સુધી તપાસ માટે બોલાવાશે એની સવિસ્તર માહિતી આપવામાં આવશે. જોકે સીતારામ કુંટે અને સંજય પાંડેએ CBI કાર્યાલયમાં જવાનું નકારી દીધું છે. આ પહેલાં બન્ને અધિકારીઓએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા CBI સાથે ચર્ચા કરી હતી. CBIએ જવાબ નોંધવાનું આવશ્યક હોવાથી બંને અધિકારીઓને કાર્યાલયમાં આવવાની વિનંતી કરી છે.

Join Our WhatsApp Community

સ્કૂલના પુસ્તકો વેચીને મુંબઈ આવ્યા હતા બોલિવૂડના ‘લાયન’ અજીત, આ કારણથી બન્યા ફિલ્મમાં વિલન; વાંચો રોચક કિસ્સો

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version