Site icon

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની રવાનગી CBIની કસ્ટડીમાં.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોના સંબંધમાં બુધવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને કસ્ટડી સોંપવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાંથી દેશમુખને CBI ટીમ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દેશમુખે અગાઉ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસના સંબંધમાં સીબીઆઈને તેમને કસ્ટડીમાં લેવાની મંજૂરી આપતા વિશેષ અદાલતના આદેશને પડકાર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કરિયાણાની દુકાનો અને મોલમાં વાઇન વેચવા અગાઉ મહારાષ્ટ્ર સરકારે લીધો આ નિર્ણય. જાણો વિગતે

અનિલ દેશમુખે સોમવારે એડવોકેટ અનિકેત નિકમ મારફત દાખલ કરેલી અરજીમાં સીબીઆઈ દ્વારા તેમની કસ્ટડીની માંગણી કરતી અરજીને પણ પડકારી હતી.

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version