Site icon News Continuous Bureau | Mumbai

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને જામીન તો મળ્યાં પરંતુ, લાલુની મુક્તિ રોકવા સીબીઆઈ સુપ્રીમમાં જશે.. જાણો વિગત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

31 ઓક્ટોબર 2020

લાલુપ્રસાદ યાદવ વિવિધ યોજનાઓમાં કૌભાંડ આચરવા બાદલ હાલ જેલમાં સજા કાપી રહયાં છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર નીકળવા માટે હાઇકોર્ટની શરણમાં પહોંચ્યા છે. તો બીજી તરફ સીબીઆઇ તેમની મુક્તિને રોકવા માટે સુપ્રીમ કોર્ટની શરણમાં જઇ શકે છે. લાલુ પ્રસાદને ઝારખંડ હાઇકોર્ટ તરફથી ચાઇબાસા કોષાગારમાંથી રકમ ઉપાડવાના કેસમાં જામીન મળી ચુક્યા છે. પરંતુ તેની સુનાવણી દરમિયાન સીબીઆઇનું કહેવું હતુ કે લાલુ પ્રસાદે આ કેસમાં એક દિવસ પણ જેલમાં વિતાવ્યો નથી.

સીબીઆઇએ સીઆરપીસીની કલમ-427નો હવાલો આપ્યો હતો. તેના અંતર્ગત કોઇને એક જેવા કેસમાં ઘણી વખત સજા મળે તો પહેલી સજા પૂર્ણ થયા બાદ બીજી સજા શરૂ કરવાની જોગવાઇ છે. જેના માટે લાલુ પ્રસાદ યાદવે નીચલી કોર્ટમાં એક સાથે સજા આપવા માટે કોર્ટમાં અરજી કરવાની હતી. પરંતુ આ અરજી કરાઇ ન હતી. જેના આધારે સીબીઆઇએ લાલુ યાદવની જામીનનો વિરોધ કર્યો છે.

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version