Site icon News Continuous Bureau | Mumbai

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને જામીન તો મળ્યાં પરંતુ, લાલુની મુક્તિ રોકવા સીબીઆઈ સુપ્રીમમાં જશે.. જાણો વિગત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

31 ઓક્ટોબર 2020

લાલુપ્રસાદ યાદવ વિવિધ યોજનાઓમાં કૌભાંડ આચરવા બાદલ હાલ જેલમાં સજા કાપી રહયાં છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર નીકળવા માટે હાઇકોર્ટની શરણમાં પહોંચ્યા છે. તો બીજી તરફ સીબીઆઇ તેમની મુક્તિને રોકવા માટે સુપ્રીમ કોર્ટની શરણમાં જઇ શકે છે. લાલુ પ્રસાદને ઝારખંડ હાઇકોર્ટ તરફથી ચાઇબાસા કોષાગારમાંથી રકમ ઉપાડવાના કેસમાં જામીન મળી ચુક્યા છે. પરંતુ તેની સુનાવણી દરમિયાન સીબીઆઇનું કહેવું હતુ કે લાલુ પ્રસાદે આ કેસમાં એક દિવસ પણ જેલમાં વિતાવ્યો નથી.

સીબીઆઇએ સીઆરપીસીની કલમ-427નો હવાલો આપ્યો હતો. તેના અંતર્ગત કોઇને એક જેવા કેસમાં ઘણી વખત સજા મળે તો પહેલી સજા પૂર્ણ થયા બાદ બીજી સજા શરૂ કરવાની જોગવાઇ છે. જેના માટે લાલુ પ્રસાદ યાદવે નીચલી કોર્ટમાં એક સાથે સજા આપવા માટે કોર્ટમાં અરજી કરવાની હતી. પરંતુ આ અરજી કરાઇ ન હતી. જેના આધારે સીબીઆઇએ લાલુ યાદવની જામીનનો વિરોધ કર્યો છે.

Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Vasai wildlife trafficking racket કેરળથી મુંબઈ લાવવામાં આવતું હતું કરોડોનું કાળું સોનું વસઈ પોલીસે પર્દાફાશ કરી ઝડપ્યા ૫ આરોપીઓ..
DY Patil Passes Away રાજકારણ અને શિક્ષણ જગતને મોટી ખોટ પદ્મશ્રી ડી.વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, કોલ્હાપુરમાં શોકની લહેર
Loco Pilots Stop Train Save Lions રેલવે ટ્રેક પર અચાનક આવી પહોંચ્યા ૫ સિંહ, લોકો પાઈલટ્સે સમયસૂચકતા વાપરીને આ રીતે બચાવ્યા ની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના, રેલવે ટ્રેક પર આવી ગયેલા ૫ સિંહોનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ
Exit mobile version