Site icon

CBSE ની 10 અને 12 ની 1 અને 15 જુલાઇએ યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

Join Our WhatsApp Community

25 જુન 2020

સીબીએસઈ બોર્ડની ધોરણ 10 મી અને 12 ની બાકિના વિષયોની 1 અને 15 જુલાઇએ યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ એવું માનવામાં આવે છે કે NEET અને JEE ની પરીક્ષાનું પણ નિર્ણય લેવામાં આવી શકે છે. નોંધનીય છે કે NEET પરીક્ષા મેડિકલ પ્રવેશ માટે હોય છે. NEET ની પરીક્ષા 26 જુલાઇએ છે, જ્યારે JEE ની પરીક્ષા 18 જુલાઇએ છે. આઇસીએસઇ અંગે પણ નિર્ણય – સીબીએસઈ બોર્ડની પરીક્ષાની સાથે સાથે લેવાશે કારણકે તાજેતરમાં સુનાવણી દરમિયાન "આઈસીએસઈએ કહ્યું હતું કે સીબીએસઈ બોર્ડ પરીક્ષા અંગે જે નિર્ણય લેશે, અમે તે જ નિર્ણય લઈશું."

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે ટ્વીટ કર્યું હતું કે અગાઉ 3000 કેન્દ્રો પર પરીક્ષાઓ થવાની હતી, હવે તેની સંખ્યા વધારીને 15000 કરવામાં આવી છે. પરંતુ આમાં પણ સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને જ સરકારે આ નિર્ણય લીધો છે. એમ તેમણે જણાવ્યું છે.

ગયા 29 એપ્રિલના રોજ કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાને કહ્યું હતું કે બોર્ડની પરીક્ષાના બાકી રહેલા 81 વિષયોમાંથી માત્ર 29 વિષયો લેવામાં આવશે. અન્ય વિષયોમાં, તે આંતરિક ધોરણે પાસ થશે. એવું માનવામાં આવે છે કે બોર્ડ હવે આ વિષયોના આંતરિક માર્ક ને આધારે પરિણામ જારી કરશે……

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fXVsFS 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version