Site icon

Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ

બારામતીમાં ‘અજિત દાદા’ ના અંતિમ દર્શન સમયે ચેન સ્નેચરો ત્રાટક્યા, 8 હજાર પોલીસકર્મીઓના કાફલા વચ્ચે ચોરીની ઘટનાથી સુરક્ષા પર ઉઠ્યા સવાલ.

Ajit Pawar Funeral અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ

Ajit Pawar Funeral અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ

News Continuous Bureau | Mumbai
Ajit Pawar Funeral મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારના અંતિમ સંસ્કારમાં જ્યારે લાખો લોકો શોકમાં ડૂબેલા હતા, ત્યારે તસ્કરોની એક ટોળકીએ આ તકનો લાભ ઉઠાવી મોટી વારદાતને અંજામ આપ્યો છે. બારામતીમાં યોજાયેલા અંતિમ સંસ્કાર દરમિયાન ચેન સ્નેચરોએ 15 જેટલા નાગરિકોના ગળામાંથી સોનાના દાગીનાની ચોરી કરી છે. આ ઘટનાથી બારામતી શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભીડનો લાભ લઈ 25 થી 30 લાખની લૂંટ

અજિત પવારના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મહારાષ્ટ્રના ખૂણેખૂણેથી લાખો લોકો બારામતી પહોંચ્યા હતા. વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં જ્યારે લોકો ભાવુક થઈને અજિત દાદાને વિદાય આપી રહ્યા હતા, ત્યારે ચોરોની ગેંગે લોકોના ગળામાંથી સોનાની ચેન ખેંચવાનું શરૂ કર્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ, આશરે 15 લોકોના દાગીના ચોરાયા છે, જેની બજાર કિંમત 25 થી 30 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

8 હજાર પોલીસ છતાં સુરક્ષામાં ગાબડું

આ ઘટનાને પગલે પોલીસ વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તે દિવસે બારામતીમાં સુરક્ષા માટે આશરે 8 હજાર પોલીસકર્મીઓ તૈનાત હતા. આમ છતાં, આટલી મોટી સંખ્યામાં લોકોના દાગીના ચોરાયા તે પોલીસની નિષ્ફળતા દર્શાવે છે. જોકે, કેટલાક જાગૃત નાગરિકોએ કેટલાક શંકાસ્પદ ચોરોને રંગે હાથે પકડી લીધા હતા અને પોલીસને હવાલે કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’

છ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ

પીડિત નાગરિકોની ફરિયાદના આધારે બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મોહમ્મદ યુનુસ, રાજકુમાર આઠવલે, એજાજ મિરાવલે, મોહમ્મદ સિરાજ અને બાલૂ બોત્રે સહિત છ આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે. પોલીસ હાલ આ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે જેથી ચોરાયેલા દાગીના રિકવર કરી શકાય. એક તરફ આખું રાજ્ય શોકમાં હતું ત્યારે બીજી તરફ ચોરોની આવી હરકતે લોકોની સંવેદનાને ઠેસ પહોંચાડી છે.

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Exit mobile version